________________
કરે છે, તેવી જ રીતે આપણા ભવ્ય ને ઉન્નત વિચારો પણ બીજાને ઉન્નત બનાવશે.
ચોરની સોબતમાં ભલા ને પ્રમાણિક માણસને રાખશો તો તે પણ ચોરવા માંડશે. દારૂડિયાની સોબતમાં નિર્બસની માણસને રાખશો તો તે પણ દારૂ પીવા માંડશે. આમ, વિચાર ઘણા જ ચેપી છે. ૧૦. માણસશાસ્ત્રના નિયમોનો વહેવારમાં ઉપયોગ
હૃદયને હંમેશાં યુવાન રાખો. એમ કદી ધારો નહિ કે, “હું વૃદ્ધ થઈ ગયો છું” “હું વૃદ્ધ થઈ ગયો છું” આ રટણ કરવું એ ખરાબ છે. આવા વિચારોને છોડી જ દો. સાઠ વર્ષની ઉંમરે પણ એમ જ ધારો કે હું સોળ વર્ષનો છું. જેવા વિચારો તેવી જ સ્થિતિ. આ માનસશાસ્ત્રનો મહાન નિયમ છે.
જેવી મતિ તેવી ગતિ” આ મહાન સત્ય છે. હંમેશાં એમ જ માનો કે હું બળવાન છું” તો તમે બળવાન જ બનશો. “હું નબળો છું” એમ ધારશો, તો નબળા જ બની જશો. “હું મૂર્ખ છું” એવો વિચાર તમારામાં મૂર્ખતા ઉત્પન્ન કરશે. ત્યારે ““હું સંત કે ઈશ્વર છું” એવા વિચારથી તમે સંત કે ઈશ્વર જ બની જશો.
વિચાર જ મનુષ્યને ઘડે છે. મનુષ્ય હંમેશાં વિચારસૃષ્ટિમાં રહે છે. દરેક મનુષ્યને પોતપોતાની નિરાળી વિચારસૃષ્ટિ હોય છે.
કલ્પના જ ચમત્કાર સર્જે છે. વિચારમાં અગાધ શક્તિ સમાયેલી છે. અગાઉ જણાવ્યું તેમ, વિચાર એ અન્ય પદાર્થ માફક ઘન દ્રવ્ય છે. તમારો વર્તમાન તમારા ભૂતકાળના વિચારોથી ઘડાયેલો છે, અને તમારું ભવિષ્ય તમારા વર્તમાન વિચારોને અનુરૂપ ઘડાશે. જો વિચાર સારા હોય તો જ સારી વાણી ને સારાં કાર્ય ઉદ્દભવે. વાણી ને કર્મ માત્ર વિચારને જ અનુસરે છે. ૧૧. વિચારના નિયમોનું હાર્દ સમજે
દરેક મનુષ્ય વિચારના નિયમો અને તેમના કાર્યક્ષેત્રનું સર્વાગી જ્ઞાન મેળવવું જોઈએ. ત્યારે જ આ દુનિયામાં સુખમય સરળ જીવન જીવી શકાય. આ નિયમોના જ્ઞાનથી જ પોતાની ઉન્નતિને સહાયક એવાં બધાં પરિબળો ને સંજોગોનો લાભ લઈ શકાય.
આવો મનુષ્ય વિરોધી વિચારપ્રવાહને ખાળી તેની અસર નાબૂદ કરી શકે. જેવી રીતે માછલી પોતાની જાતને ઇજા પહોંચાડ્યા વિના પ્રવાહ સામે