________________
જીવનનાં દશ્ય તેમ જ અદશ્ય પરિબળોમાંથી જે જે વિચારો, અસરો અને પરિસ્થિતિઓ તમારા પોતાના વિચાર અને પ્રકૃતિને મળતાં હોય તેને સતત તમારા તરફ આકર્ષા કરો છો.
વિચારસૃષ્ટિમાં પણ સમાન વિચારવાળા લોકો એકબીજા પ્રત્યે આકર્ષાય છે. આ સનાતન નિયમનું આપણને ભાન હોય કે ન હોય છતાં તે વગર અટક્સે પોતાનું કાર્ય કર્યું જાય છે.
તમને મન પસંદ એવા કોઈ પણ એક વિચારનું રટણ કરો, અને જ્યાં સુધી તમારું મન તેના પર જ કેન્દ્રિત રહેશે ત્યાં સુધી તમે જમીન, દરિયા કે હવા પર ગમે ત્યાં મુસાફરી કરતા હો ત્યાં દરેક સ્થળે તમે જાણે અજાણે તમારા આ મુખ્ય વિચારને અનુકૂળ સામગ્રીનો સતત સંગ્રહ કર્યો જશો. વિચારો એ તમારી અંગત માલિકીની વસ્તુ છે અને તેમને તમારી રુચિ પ્રમાણે વ્યવસ્થિત કરી પ્રેરી શકો છો, પણ તે માટે તમારે સતત તમારી ક્ષમતાનો અભ્યાસ કરવો જોઈએ.
કયા વિચારોને આપણા જીવનના નિયામક બનાવવા તે નક્કી કરવું તે આપણી જ ઇચ્છાની વાત છે. જો આમ કરીએ તો જ આપણે તણખલાની માફક સંજોગો અને પરિસ્થિતિના ગુલામ થતા અટકીશું અને વાતાવરણમાંથી આપણી ઇચ્છા પ્રમાણે શુભપ્રેરક વિચારોને આકર્ષી શકીશું. ૯. સ્પેનીશ ફલુ કરતાં પણ ભયંકર વિચારોનો ચેપ
માનસિક ક્રિયા એ જ સાચું કર્મ છે. વિચાર એ જ વીજળીના જેટલું શક્તિશાળી કર્મ છે. સાથે સાથે યાદ રાખવું જોઈએ કે, વિચાર ખૂબ જ ચેપી છે. અરે સ્પેનીશ લુના રોગ કરતાં પણ વધારે ચેપી છે.
તમારી અંદરનો પ્રેમ કે દયાનો વિચાર તમારા સંબંધમાં આવનારી વ્યક્તિમાં પણ પ્રેમ ને દયાનો જ વિચાર પ્રેરશે. આથી ઊલટું, ક્રોધનો વિચાર જેના મનમાં ઉત્પન્ન થાય તે વ્યક્તિની આજુબાજુની વ્યક્તિઓના મનમાં પણ ક્રોધની જ ધ્રુજારીઓ ઉત્પન્ન થશે. એટલું જ નહિ પણ દૂરના મનુષ્યોના મનમાં પણ તે આંદોલનો પ્રવેશી તેમને ઉશ્કેરશે. - તમારામાંનો આનંદી વિચાર બીજામાં પણ તેવો જ આનંદનો વિચાર ઉત્પન્ન કરશે. આનંદમાં મસ્ત બનેલાં નાનાં બાળકોને રમતમાં નાચતાં જોઈને આપણું હૃદય પણ આનંદથી ઊભરાઈ જાય છે.
જેમ આપણા મનમાંનો હર્ષ બીજાના મનમાં પણ હર્ષનાં મોજાં ઉત્પન્ન