________________
તેના મુખ ઉપર દિવ્ય સુંગધયુક્ત બ્રહ્મવર્ચસ પ્રકાશી રહે છે. જયારે આપણા હાથમાં જૂઈ, ગુલાબ કે ચંપાના ફૂલનો બનાવેલ ગજરો ધારણ કરીએ છીએ ત્યારે તેની ખુશબો આખા ઓરડામાં પ્રસરી રહી બધાને અનોખો આનંદ આપે છે. તેવી જ રીતે પોતાના વિચારચક્ર ઉપર જેણે સંયમ સાધ્યો છે એવા યોગીના યશ ને કીર્તિની સુગંધ તથા તેજ સર્વત્ર પ્રસરી રહે છે. ખરેખર, તે વિશ્વશક્તિ બને છે. ૧૫. વિચારનું વજન, કદ અને મૂર્તિ
દરેક વિચારને પોતાનું વજન, આકાર, કદ, મૂર્તિ, રંગ, ગુણ ને શક્તિ હોય છે. યોગી પોતાની દિવ્ય આંતરિક દૃષ્ટિથી આ બધા વિચારોને પ્રત્યક્ષ રીતે જોઈ શકે છે.
| વિચારો બીજી વસ્તુઓ જેવા જ પદાર્થો છે જેવી રીતે તમે એક નારંગી તમારા મિત્રને આપીને તેની પાસેથી તે પાછી લઈ શકો છો, તેવી જ રીતે તમારા મિત્રને ઉપયોગી શક્તિશાળી વિચાર આપી શકો છો, તેમ જ તેની પાસેથી લઈ શકો છો.
વિચાર એ જ મહાન શક્તિ છે. તે ગતિ કરી શકે છે, તે સર્જી શકે છે. વિચારશક્તિથી તમે ચમત્કાર પણ કરી શકો. પણ યોગ્ય વિચારને ઉત્પન્ન કરવાની તેમ જ પ્રેરવાની તમારામાં કળા જોઈએ. ૧૬. વિચાર - તેની આકૃતિ, તેનું નામ ને તેનો રંગ
તમારું મન ભલે સંપૂર્ણ રીતે શાંત ને વિચારહીન હોય, છતાં જેવો તેમાં વિચાર ઉત્પન્ન થવા માંડશે કે તરત જ તેમાં નામ ને રૂપ ઉત્પન્ન થવાના જ.
દરેક વિચારને ચોક્કસ નામ ને રૂપ હોય છે આથી આપણે જોઈએ છીએ કે મનુષ્યને ઉત્પન્ન થતા અથવા ઉત્પન્ન થઈ શકે તેવા દરેક વિચારને તેને અનુરૂપ નામ ને રૂપ સાથેનો સંબંધ મગજમાં ખડો થવાનો જ.
આમ, વિચારરૂપી મૂળભૂત શક્તિ જે એક જ તેમ જ અત્યંત સૂક્ષ્મ છે, તેમાંથી રૂપ કે આકારરૂપી મૂર્તિ સ્થૂળ રૂપ ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં નામ હોય ત્યાં ત્યાં રૂપ વિચાર હોવા જ જોઈએ.
પરંતુ વિચાર, નામ ને રૂપ ત્રણે એક જ છે. જ્યાં જ્યાં આ ત્રણમાંથી એક હોય ત્યાં ત્યાં બીજાં બે હોવા જ જોઈએ.