SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. વિચારરૂપી સૃષ્ટિની મૂળભૂત શક્તિ ને આધુનિક વિજ્ઞાન વિચાર એ પૃથ્વી પર મહાનમાં મહાન શક્તિ છે. યોગીને માટે વિચાર એ સૌથી વધુ શક્તિશાળી રક્ષણાત્મક હથિયાર છે. તે રચનાત્મક વિચાર સર્જી છે, એટલું જ નહિ પણ, નવનિર્માણ કરે છે, પુનર્જીવન બક્ષે છે અને બધું નવપલ્લવિત પણ કરે છે. મનની શક્તિઓમાં રહેલ અગાધ શક્યતાઓને વિકસાવી પ્રાચીન ઋષિઓ તેમને સંપૂર્ણતા તરફ લઈ ગયા હતા અને તેનો ઉપયોગ પણ તેઓ સર્વના હિત માટે કરતા. કારણ કે વિચાર એ સૃષ્ટિની ઉત્પત્તિની પાછળ રહેલી મૂળભૂત શક્તિ છે. નામરૂપની આખી દુનિયાની ઉત્પત્તિના મૂળ કારણરૂપે સૌથી પ્રથમ વિરાટ પરમાત્માના મનમાં એક જ સંકલ્પ થયો હતો. આ આદ્ય વિચાર મૂર્તરૂપે પ્રગટ થયો તે સૃષ્ટિ. સચ્ચિદાનંદ સ્વરૂપ દિવ્ય પરમાત્માના શાશ્વત અગાધ શાંત સ્વરૂપમાંથી ધ્રુજારીરૂપે પ્રથમ જે વિચાર પ્રાદુર્ભત થયો તેમાંથી આ સૃષ્ટિ થઈ છે. શાસ્ત્રની પરિભાષામાં આને સ્પંદનરૂપે વ્યક્ત થયેલ હિરણ્યગર્ભની ઇચ્છાશક્તિ તરીકે ઓળખવામાં આવેલ છે. આ સ્પંદનને ભૌતિક કણોની ત્વરિત ગતિ સાથે સરકાવી શકાય નહિ, કારણ કે તેના કરતાં તે અનંતગણું સક્ષ્મ છે – એટલું સૂક્ષ્મ છે કે મનુષ્યના સામાન્ય મનની કલ્પનામાં પણ આવી શકે નહિ. છતાં આ સ્પષ્ટ રીતે બતાવે છે કે, છેવટે બધાં તત્ત્વોનું મૂળ એક સૂક્ષ્મ શુદ્ધ ધ્રુજારી-કંપન છે. આધુનિક વિજ્ઞાન પણ હાલમાં બહારની પ્રકૃતિના અન્વેષણ પરથી આ જ નિર્ણય પર આવેલ છે. . ૧૪. રેડિયમ જેવા વિરલ જ્યોતિર્મય યોગી - રેડિયમ એ વિરલ જયોતિમય વસ્તુ છે. જે યોગીઓએ પોતાના મન પર પૂરેપૂરો સંયમ મેળવ્યો છે તેઓ પણ આ દુનિયામાં રેડિયમ જેવા વિરલ છે. જેવી રીતે અગરબત્તીમાંથી એકધારી રીતે મીઠી મહેક પ્રસરી રહે છે. તેવી જ રીતે જે યોગી પોતાના વિચારો સંયમમાં રાખી સતત શાશ્વત બ્રહ્મનું જ ચિંતન કરે છે તેના શરીરમાંથી દિવ્ય સુગંધી ને વિદ્યુતથી પણ સૂક્ષ્મ બ્રહ્મઓરા” ચારે બાજુ પ્રસરી રહે છે.
SR No.005958
Book TitleVichar Shakti
Original Sutra AuthorN/A
AuthorShivanand Swam
PublisherSwami Shivanand Gyanyagna Nidhi
Publication Year2012
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy