SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સમાધિશતકમ છે, તે જાણતા નથી જ તે સર્વ મૂખમાં પ્રથમ મુખ જાણ. અર્થાત્ બહિરાત્મા બાહ્ય કિયા અને તપથી મુક્તિ પદ પ્રાપ્ત કરતું નથી, માટે આત્મજ્ઞાન કરવું અને યથાર્થ પદાર્થને બંધ ગુરુગમથી લે એ જ હિતશિક્ષા છે. દેધક છંદ અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાનીકું કહે હેત; ગુણકભી મદ મિટ ગયે, પ્રગટ સહજ ઉદ્યોત. ૩૨ ધર્મ ક્ષમાદિકભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ તૌ કલ્પિત ભવ ભાવમેં, કયું નહિ હેત ઉદાસ. ૩૩ વિવેચન-આત્મજ્ઞાનીને પુલ સંબંધી અભિનિવેશ. શી રીતે હોય! જે આત્મજ્ઞાનીને હું જ્ઞાની અને હું વિદ્વાન છું ધ્યાની છું, એવે પ્રત્યય પણ મટી ગયું છે, તે તેવા આત્મજ્ઞાનીને પરમાં અભિનિવેશકદાપિ હોય નહિ, પિતાના ગુણને અહંકાર કરે તે પણ તે પરિગ્રહી જાણવા. - શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પરિગ્રહની સજઝાયમાં કહ્યું છે કે-- જ્ઞાન ધ્યાન હેય યવરે, તપ જપ કૃત પરિતંત સલુણે, છેડી પ્રથમ પ્રભુતા લહી, મુનિ પણ પરિગ્રહવંત સલુણે, પરિગ્રહ મમતા પરિહરે. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, શ્રુતને અહંકાર મનમાં મુનિ રાખે છે તે પણ પરિગ્રહી છે અને જ્યારે તેને ત્યાગ કરે ત્યારે સમરૂપ પ્રભુતાની પ્રાપ્તિ થાય છે.
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy