SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતકમ્ . સજ્જ કર્મમલથી રહિત થતાં જે નિર્મલ શાશ્વત સુખ ભાસે છે, તે સુખની સ્પૃહા જેમને છે તેવા અધિકારીને આત્મસ્વરૂપ કહું છું. શ્રી યશોવિજય ઉપાધ્યાયજી કૃત સમાધિશતક દેધક છંદમાં છે તેનું વિવેચન. સમાધિશતક પ્રણમી સરસતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ, કેવલ આતમ બેધક, કરશું સરસ પ્રબંધ. ૧ કેવલ આતમ બોધ છે, પરમારથ શિવપંથ, તામેં જીનકું મગનતા, સેઇ ભાવ નિગ્રંથ. ૨ ગજ્ઞાન ક્યું બાલકે. બાણજ્ઞાનકી દૌર, તરૂણભેગ અનુભવ જીએ, મગનભાવ કછુ ઔર. ૩ વિવેચન-સરસ્વતી ભારથીને તથા જગતના બંધુ એવા જિનેશ્વરને નમસ્કાર કરીને શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય કહે છે કે કેવલ જેનાથી આત્મબોધ થાય એ આત્મજ્ઞાનને સરસ પ્રબંધ રચીશ. કેવલ આત્મજ્ઞાન જ પરમાર્થાથી મોક્ષનો માર્ગ છે, એવા આત્મજ્ઞાનમાં જે મુનિને મગ્નતા છે તેજ ભાવનિગ્રંથ જાણવા. ચાર નિક્ષેપાએ નિગ્રથના ચાર ભેદ છે. ૧. નામ નિગ્રંથ, ૨. સ્થાપના નિયંત્થ. ૩. દ્રવ્ય નિગ્રંથ ૪. ભાવ નિગ્રન્થ. ૧. નામ નિગ્રંથ જેનું નિગ્રંથ એવું નામ તે. સ્થાપના નિગ્રંથ કેઈપણ વસ્તુમાં ૨. નિગ્રંથની સ્થાપના તે.
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy