SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સમાધિશતકમ છે, ત્યાં સુધી તેમાં ધર્મ પ્રવેશી શકતે નથી. જ્યાં સુધી મનમાં કપટરૂપ અગ્નિ છે, ત્યાં સુધી તેમાં ધર્મના અંકુર ઉગી નીકળતા નથી. કિયા રૂપ ચંદ્રને ગ્રાસ કરવામાં કપટ તે રાહુ સમાન છે. જ્ઞાન રૂપ પર્વતને તેડવા વા સમાન છે, કામ રૂપ અગ્નિની વૃદ્ધિ કરવામાં કપટ ઘી સમાન છે. વ્રત રૂપ લક્ષ્મીને ચર પણ દંભ જ છે. એકેક માસના ઉપવાસ કરે અને નગ્ન રહે તે પણ જ્યાં સુધી મનમાં કપટ છે, ત્યાંસુધી તપ, જપ સર્વ નિષ્ફળ જાણવું. કેશનું લુંચવું, ભૂમિ ઉપર શયન કરવું, ભિક્ષા માગવી, શીલવ્રતાદિક પાળવા સુંદર છે, કપટને ત્યાગ કરે દુષ્કર છે. જે પિતાને આત્માની વડાઈ ક, ઘણું કપટ કરે અને પારકાના દૂષણ લેકેની આગળ કહે, તે પુરુષની ધર્મ કિયા સફળ થતી નથી, માટે નિર્દભ કિયા રૂડી રીતે અંતરમાં ઉપગ રાખી કરવી. તદધેત અને અમૃતકિયા શાશ્વત સુખ ઉત્પન્ન કરનારી છે, માટે તે કિયાનું અવલંબન કરી આત્માહિત સાધવું. દોધક છંદ નિજ નિજ મતમે લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીનતા પરિણ, જ્ઞાનીકું સરવંગ. ૯૬ દઉ લ તિહાં એક પરં, દેખનમેં દુઃખ નહિ, ઉદાસીનતા સુખસદન, પર પ્રવૃત્તિ દુઃખ છાહિ. ૯૭
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy