________________
૭૪
निजाश्रितानामिति मानवाना-. मुपद्रवोऽधस्तनमण्डलेषु । अयं प्रतापक्षतये भवेन्मे रवेरिवाम्भोधरसन्निरोधः ॥७७॥
“વળી મન્ત્રીશ્વર ! આ વિવેકશૈલના નીચેના તલાટીના ભાગોમાં જે આપણા આશ્રિત માનવો (સુશ્રાવકો) છે એમને મોહરાજનું સૈન્ય જે ઉપદ્રવ કર્યા કરે છે એ ઉપદ્રવ તો મારા તેજને ઝાંખપ લગાડનારો બને છે.
વાદળ દ્વારા સૂર્યનું તેજ ઢંકાય એ પ્રતાપી સૂર્ય માટે હીણપતભર્યું નથી શું ?
बहुसाधुमध्ये लज्जाभयादिभिरपि भवत्येव गुर्वाज्ञानुल्लं घनम् ।
અર્થ-ઘણા સાધુઓ વચ્ચે લજ્જા, ભય વગેરેના કારણે પણ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી.