________________
૭૧
ततः स्वशैलस्य समृद्धिशर्म स भूमिशक्रोऽबहुमन्यमानः ।
उपद्रवात्स्वाश्रितमण्डलानां
बोधं प्रतीत्थं सचिवं ब्रवीति ॥७४॥
ત્યારબાદ તે ચારિત્રધર્મરાજ, પોતાની હકૂમતના વિવેકશૈલની સમૃદ્ધિના તેવા સુખને નગણ્ય સમજીને, અને પોતાના તાબાના પ્રદેશો ઉપરના ઉપદ્રવને વિચારીને સદ્બોધ નામના પોતાના મન્ત્રીને આ પ્રમાણે કહે છે.
O
संकल्प विनाशे एव कामविनाशः ।
કામના-સંકલ્પના ત્યાગમાં જ કામનો ત્યાગ થાય છે. કામના વિચારથી કામ ઉત્પન્ન થાય છે.