________________
પ્રત્યેક શ્લોક મારા ચિત્તપટમાં ડેરા-તંબૂ નાખીને સ્થિર થઈ ગયો છે. ઘણા વખતથી આ સ્તબકનો ભાવાનુવાદ કરવાની ઇચ્છા હતી; નવા ડીસાના ચાતુર્માસ (વિ. સં. ૨૦૩૧)માં સાકાર બની ગઈ.
જે કેટલાક શ્લોકોના ગૂઢ ભાવોને હું સાંગોપાંગ કરી સ્પર્શી ન શક્યો તે શ્લોકોના સંબંધમાં પૂજ્યપાદ પણ સંયમમૂર્તિ, યોગનિષ્ઠ, મહોપકારી પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ સાથે પત્રવ્યવહાર કર્યો અને તે કૃપાલુએ મને પૂર્ણ સંતોષ થાય એ રીતે તે તો સંદિગ્ધ શ્લોકોને સુસ્પષ્ટ કરી આપ્યા.
આ બે ય મહાપુરુષોના ઉપકારનો બદલો તો હું મારી શી રીતે વાળી શકું? એટલે માત્ર કૃતજ્ઞતા વ્યક્ત કરીને છે. વિરમું છું.
હવે પ્રસ્તુતમાં આવીએ.
અલબેલો છે, આ વૈરાગ્ય-કલ્પલતા ગ્રન્થ. એમાં કે ય અદ્ભુત છે એનો પ્રથમ તબક. (શ્લોક ૨૬૯) છે જેણે મુનિ-જીવનનો કઠોર-કાંટાળો પંથ સ્વીકાર્યો
છે એમના માટે તો આ સ્તબક ખરેખર ભોમિયાની ગરજ
સારે છે. વાત્સલ્યની હુંફના ભૂખ્યા માટે એ ખરી “મા”નું આ સ્થાન લે છે. અકળાયેલા કોક અભાગી માટે એ સાચો