________________
૨૬
ग्रन्थाम्बुराशौ मथिते परीक्षामन्थाद्रिणा दोषविषं स्वकण्ठे ।
विरूपनेत्रेण धृतं खलेन, गुणग्रहश्रीः पुरुषोत्तमेन ॥ २९ ॥
ભલા ! શાસ્ત્રગ્રન્થ એ તો સાગર છે; સાગર. એમાં ગુણોનું અમૃત પણ હોય; અને દોષોનું ઝેર પણ કયાંક હોય.
તમે એની પરીક્ષા કરો; પરીક્ષાના રવૈયાથી એનું વલોણું કરો. પછી અમૃત અને ઝેર બે ય બહાર નીકળી જશે. જે સજ્જનો હશે તે તો ગુણોનું અમૃત જ પી જશે, પણ જે કુટિલ દુર્જનો હશે તે દોષોનું ઝેર પોતાના કણ્ઠમાં ધારણ કરવાને ઉત્સુક થશે.