________________
૨૩
न प्रत्ययार्हा प्रकृतिः खलानां, न चारूरूपं समुपैति किञ्चित् ।
संस्कारहीनामिति तामपेक्ष्य,
को वा क्रियां साधयितुं यतेत ॥२६॥
ના...ના...દુર્જનોની સંસ્કારહીન પ્રકૃતિ પ્રત્યે જો લાગણી બતાડવામાં આવે તો સજ્જનો કોઈ કામ જ કરી ન શકે; કેમ કે દુર્જનોની, વાત ઊપર કદી વિશ્વાસ મુકાય નહિ, ગમે ત્યારે વિશ્વાસઘાત કરી દેવાનું તો એમના સ્વભાવમાં પડેલું પાપ છે. વળી એમની દુષ્ટ પ્રકૃતિને સમાવી લેવા કે ખુશ કરી દેવાના ગમે તેટલાં પ્રયત્નો કરવામાં આવે તો ય એ પ્રકૃતિમાં કદી કોઈ સૌન્દર્ય પેદા થતું જ નથી.
પછી શા માટે એમની દુષ્ટતાને નજરમાં લઈને કોઈ સજ્જન પુરુષે પોતાની કૃતિમાં આગળ ધપતાં અટકવું જોઈએ ? કે નિરાશ થવું જોઈએ ?