________________
૧૮
रसान्तरस्येह कथा तथात्वं, करोति भावैरुपनीयमानैः ।
बाह्यैः स्वमाभ्यन्तरशुद्धरूपमेकैववैराग्यकथोपधत्ते ॥ २१ ॥
વૈરાગ્યરસ સિવાયના શૃંગારાદિ કોઈ પણ રસને પોષતી કથાનું મૂલ્ય કેટલું ? બહારના વિશ્વના કેટલાક પ્રસંગોકૌટુંમ્બિક ક્લેશ, સમાજિક ઘટનાઓ, પ્રણયના પ્રસંગો કે યુદ્ધની વાતો જેવી ભાડુતી કથાવસ્તુઓ ઉપર જ આ બધી કથાઓનું મંડાણ થાય છે.
અને વૈરાગ્યરસના અબીલ-ગુલાલ ઉડાડતી વિરાગ કથાઓ ! એની તો શી વાત કરવી ? આ એક જ પ્રકારની કથાઓ એવી છે કે જે આત્માના શુદ્ધસ્વરુપ ઉપર જ પોતાનું કથાવસ્તુ (પ્લોટ) તૈયાર કરે છે.
‘શુદ્ધ’માંથી ઝરતાં સંવેદનોની વિરાગ કથાની મહત્તા ઊંચી આંકવી જ રહી.
פול