________________
૫. કર્મવિવર નામના જેના ઝરૂખામાં બુદ્ધિના ગુણો છે - સ્વરૂપ મોતીના ઝુમખાં લટકી રહ્યા છે.
૬. જે નિર્મલ વાસનાઓથી સુગંધિત છે. ૭. જે ઉત્તમવીર્યના કપૂરની રજકણોથી મનોહર છે. છે
૮. વિસ્તાર પામતી શ્રતધારણાની કસ્તૂરીઓથી જે | સુગંધિત બન્યો છે.
૯. આત્માના (પોતાના) ગુણવિલાસથી સિદ્ધ થયેલા છે છાંયડાઓના સમૂહોથી સઘળા કર્મોની ગરમીનો વ્યાપ જયાં | નષ્ટ થઈ ગયો છે.
૧૦. (સતત ઊડતા) શીલલીલાના ફુવારાઓને લીધે જ્યાં ઠંડક વ્યાપી છે.
૧૧. જેમાં સંવરશુદ્ધિના પુષ્પોથી ભરપૂર નિર્વિકલ્પ છે દશાની પથારી બનાવેલી છે.
આવા વૈરાગ્યના મહેલની તે પથારીમાં સમતા નામની છે પોતાની પત્ની સાથે મહાપુરુષો–સંતો-સુખે સૂતા રહે છે.
માટે જ, સાચું ગૃહસ્થજીવન તો આ સંતોનું જ કહેવાય. | એ સિવાયના જે ગૃહસ્થો છે એ તો બિચારા જગતના મુડદાલ રોઝ જેવા છે.
ભટકામણ એ જ એમનું જીવન અને રિબામણ એ જ જ એમનું મરણ.