________________
૨૬૨
निजां कथां यः कथयन् सभायां, निनाय सभ्यान् मणिदर्पणत्वम् । तेषु प्रपन्नाः प्रतिबिम्बभावं
भावाः समग्रा इति यत्कथोक्ताः ॥ २६५ ॥
જેણે પોતાની કથા સભામાં કહેતાં કહેતાં, સભાજનોને એવા તો મણિમયદર્પણ જેવા બનાવી દીધા કે કથામાં કહેલા સઘળા ભાવો તે દર્પણોમાં પ્રતિબિમ્બિત થઈ ગયા !
अत्तदुक्खे ।
કોઈ પણ દુઃખની ભીતરમાં જરા ડોકિયું કરીને જોજો. ત્યાં કોઈને કોઈ આગ્રહ દેખાશે. આગ્રહ એ જ દુ:ખ છે. એને છોડી દો તો તમે સુખી પૂર્ણ સુખી.