________________
૧૬૭
निरन्तरं दारूणकेशलोच
ब्रह्मव्रताभिग्रहभारखिन्नाः । આ ટુતાઃ સમાવેઃ તમામેતા,
निन्दन्ति शास्तारमनन्तपापाः ॥१७०॥ સતતપણે કરવામાં આવતાં ઉગ્ર કેશલોચ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન અને કઠોર અભિગ્રહોના સેવનના ભારથી ત્રાસી જઈને સમાધિથી ભ્રષ્ટ થએલા, પોતાના શિથીલાચારને છાવરવા માટે માર્ગમાં જ ભેદ ઊભો કરતાં એ અનન્ત પાપીઓ પોતાના જ આવા કરતૂકો વડે શ્રી જિનેશ્વરદેવની નિન્દા કરતા હોય છે.
प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः । तत्त्वात्तदेव वक्तव्यं, किं वचनेऽपि दरिद्रता ॥ છેપ્રિય વાક્યના દાનથી સર્વે જીવો ખુશ થાય જ છે. માટે તેવું પ્રિય વચન જ બોલવું જોઈએ. શા | માટે વચનમાં દરિદ્રતા રાખવી જોઈએ? (લાખોનું
દાન દેનાર પણ અવસરે પ્રિય વાણીનું દાન દઈ જ શકતા નથી.)