________________
૧૬૨
पन्थानमेनं प्रणता हि वीराः क्लीबस्य गम्योऽस्ति कदापि नायम् । इत्थं समाधाय कदापि धीरो
दान्ताशयः खिद्यति नो महात्मा ॥ १६५ ॥ મહાત્માઓ ગર્જના કરાતાં કહે છે, “અમારો આ માર્ગ શૂરવીરોથી મપાએલો છે; હીજડાઓનું તો અહીં કામ જ નથી.”
વંદન તે ગર્જનાશીલ મુનિરાજોને ! ધીર અને ઉદાત્ત ચિત્તવાળા હે મુનિરાજો ! હવે આપના જીવનમાં ખેદ તો કયારે ય પણ કયાંથી જોવા મળે ?
यस्य स्वयाऽस्ति तस्य नियता परदया । परदयायां तु
स्वदया भाज्या ।
જેને પોતાના આત્માની દયા હોય તેને બીજાના આત્માની દયા નક્કી હોય, પરંતુ પરદયા હોય ત્યાં સ્વદયા હોય અથવા ન પણ હોય.
(જેને એમ થાય કે હું ભવસાગરમાં ડૂબી ન જાઉં તેને બીજો પણ ભવસાગરમાં ન ડબી જાય તેની ચિંતા હોય.)