________________
૧૪૮
शोचन्ति न स्वं च परञ्च मन्योरन्योन्यकर्म्मव्यतिहारमग्नम् ।
शुद्धर्जुसूत्रक्षणमार्गणाभि
स्तपस्विनः प्राप्तसमाधिनिष्ठाः ॥ १५१ ॥
શુદ્ધ ઋજુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ માને છે. આ નયથી વર્તમાનમાં જ વિચરણ કરીને સમાધિની સ્થિરતા પ્રાપ્ત કરી છે તે તપસ્વીઓ અન્યોન્ય કર્મના બદલા આપવામાં જ મગ્ન એવા સ્વ-પરનો શોક કરતા નથી.
ભૂત, ભાવીને ભૂંસીને યોગી માત્ર વર્તમાનમાં જ જ્ઞાતા, દૃષ્ટાભાવે વિચરે છે. સ્વપરને મળતાં કર્મફળોમાં તે તટસ્થ રહે છે. ભેદવિજ્ઞાન સિદ્ધ થયા બાદ સ્વ પરનેકરેલા કર્મના બદલારૂપે-મળતી શાતા કે અશાતાને કર્મની (ત્રિગુણની) રમત માનીને સિદ્ધ ભગવંતની જેમ યોગી વધુ તટસ્થપણે જુએ છે. પણ રીસે ભરાઈને શોક કરતા નથી.
કર્મ.
પુર્વ્ય-શુક્ષ્મ ર્મ, પાપમ્-અશુભં વર્મ ।
પુણ્ય એટલે શુભ કર્મ. પાપ એટલે અશુભ