________________
૧૨૧
વૈરાગ્યના સર્વસ્વ સમા સમાધિભાવનો મહિમા
इयं समृद्धिः सकला समाधिप्रभावजन्येति जिनागमज्ञैः ।
अत्रैव कार्यः सुदृढप्रयत्नो
वैराग्य सर्वस्वमिदं विदन्ति ॥ १२४ ॥
શ્રી જિનાગમોના જાણકાર ભગવંતો કહે છે કે આવી સઘળી અતિશય-સમૃદ્ધિ સમાધિના પ્રભાવથી જ પ્રાપ્ત થાય છે માટે વૈરાગ્યભાવના સર્વસ્વસમા સમાધિભાવને પામવા માટે સઘળો પ્રયત્ન ભવ્યાત્માએ કરી છૂટવો જોઈએ.
सर्वार्हदाज्ञा प्रमाणमेव कार्या ।
અરિહંતની સર્વ આજ્ઞા પ્રમાણ કરવી જોઈએ. અર્થાત્ અરિહંતની સર્વ આશા સત્ય માની તેનો હૃદયથી સ્વીકાર કરવો જોઈએ.