________________
(૭૩)
*********************************************
कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्दश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते ।
मूले लधीयांस्तल्लोभ शराव इव वर्धते ॥२१॥ ધનહીન માણસ સો રૂપિયાની ઇચ્છા રાખે છે, સો વાળો હજારની, હજારવાળો લાખની, લક્ષાધિપતિ કરોડની, કરોડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવર્તિપણાની, ચક્રવર્તી દેવપણાની અને દેવ ઈન્દ્રપણાની ઇચ્છા કરે છે અને ઇન્દ્રપણું મળ્યા પછી પણ ઇચ્છાની નિવૃત્તિ તો થતી જ નથી. કારણ કે લોભ શરૂઆતમાં બહુ થોડો દેખાય છે પણ શકોરાની માફક વધતો જાય છે. (૧૯-૨૧)
लोभसागरमुढेलमतिवेलं महामतिः ।
संतोषसेतुबन्धेन प्रसरन्त निवारयेत् ॥२२॥ લોભરૂપી અતિ ઉછળતા સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સંતોષ રૂપી સેતુપાળ બાંધીને આગળ વધતો અટકાવવો જોઈએ. (૨૨)
क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायाऽऽर्जवेन च ।
लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ॥२३॥ છે એમ ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભ કષાયોને જીતવા જોઈએ. એમ ગ્રહણ કરવું. (૨૩)
विनेन्द्रियजयं नैव कषायाञ्जतुमीश्वरः । હેતે હૈ નાર્થ વિના નિતાનનમ્ પારકા ઇન્દ્રિયોને જીત્યા સિવાય મનુષ્ય કષાયો ઉપર વિજય મેળવવા સમર્થ થતો નથી. કેમ કે શિયાળાની ઠંડી પ્રજવલિત અગ્નિ વિના દૂર કરી શકાતી નથી. (૨૪)
अदान्तैरिन्द्रियहयैश्चलरपथगामिभिः । आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते ॥२५॥