SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩) ****************************************** અધ્યાત્મજ્ઞાનના રહસ્યના બીજભૂત ઉદાસીનતાને મન્દ ન થવા દેતો જે આત્મા બીજું કંઈ પણ ન જુએ તે આત્મતત્ત્વને જોઈ શકે છે. ૮૪ નિ:સત્તા પુરસ્કૃત્ય, ય: સામવચ્છતે परमानन्दजीवातौ, योगेऽस्य कमते मतिः ॥८५।। જે આત્મા નિઃસંગપણાને આગળ કરીને સમભાવનું આલંબન કરે છે, તેની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ૮૫ दम्भजादपि निःसङ्गभ्दवे युरिह सम्पदः । निश्छद्मनः पुनस्तस्मात्, किं दवीयः ? परं पदम् ॥८६॥ આ લોકમાં દંપૂર્વકના નિઃસંગપણાથી પણ સમ્પત્તિઓ પ્રાપ્ત થાય છે, તો પછી દંભરહિત નિઃસંગપણું કરવામાં આવે તો પરમપદ શું દૂર રહે? ૮૬ सङ्गावेशानिवृत्तानां, माभून्मोक्षो वशंवदः । यत्किञ्चन पुनः सौख्यं, निर्वस्तुं तन्न शक्यते ॥८७॥ સંગના આવેશથી નિવૃત્ત થયેલા જીવોને કદાચ મોક્ષ વશ ન થાય તો પણ, જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે તે કહી શકાતું નથી. ૮૭ ___ स्फुरत्तृष्णालताग्रन्थि-विषयावर्त्तदुस्तरः । વર્તેશ તહેના-નૈરવો અવસર: ૮ટા .. સ્કુરાયમાન છે તૃષ્ણારૂપી લતાની ગાંઠો જેમાં એવો, વિષયોના આવર્તાથી દુઃખે કરીને તરાય એવો, તથા કુલેશોરૂપી કલ્લોલોની ક્રિીડાઓથી ભયંકર એવો આ સંસારરૂપી સમુદ્ર છે. ૮૮ विदलबंन्धकर्माण-मद्भुतां समतातरीम् । ___आरुह्य तरसा योगिन् !, तस्य पारीणतां श्रय ॥८९॥ હે યોગી! જેણે બંધના હેતુભૂત કર્મોને દળી નાખ્યાં છે એવી અદ્ભુત સમતારૂપી નૌકા ઉપર ચઢીને શીઘ તે ભવસમુદ્રના પારને પામ. ૮૯
SR No.005953
Book TitleAatm Samvedanna Sadhano
Original Sutra AuthorN/A
AuthorNalin Kothari, Rasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year2009
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy