________________
(૩૮)
*************ઝઝઝઝ*********2**************
વિષયોમાં અયોગ્ય રીતે ચેણ કરતા ઇન્દ્રિયોના સમૂહને અતિશય મોટી એવી સામ્યરૂપી મુદ્રા (સમતાભાવ) પ્રાપ્ત કરીને વશ કરવો જોઈએ. પ૭
यदामनन्ति विषयान्, विषसब्रह्मचारिणः ।
तदलीकममी यस्मा-दिहामुत्रापि दुःखदाः ॥५८॥ કેટલાક વિષયોને વિષ સરખા જે કહે છે તે ખોટું છે. કારણ કે, આ વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપનાર છે. જયારે વિષ તો માત્ર આ લોકમાં જ દુઃખ આપે છે.) પ૮
यदात्मन्येव नि:क्लेशं, नेदीयोऽकृत्रिमं सुखम् ।
अमीभिः स्वार्थलाम्पट्या-दिन्द्रियैस्तद्विबाध्यते ॥५९॥ જે સુખ આત્મામાં જ છે, નજીક છે, ક્લેશ વિનાનું છે, સ્વાભાવિક છે; તે સુખને આ ઇન્દ્રિયો પોતે સ્વાર્થલંપટ હોવાથી રોકે છે. ૫૯
अन्तरङ्गद्विषत्सैन्य - नासीरैर्वीरकुञ्जरैः ।
क्षणाक्षैः श्रुतबलं , लीलयैव विलुप्यते ॥६॥ અંતરંગ શત્રુઓના સૈન્યની મોખરે ચાલનાર, વીરોમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રિયોરૂપી સુભટો શ્રતનું બળ-જ્ઞાનબળ લીલામાત્રથી ક્ષણવારમાં નષ્ટ કરી નાખે છે. ૬૦
स्वैरचारीन्द्रियाश्वीय-विश्रृङ्खलपदक्रमैः ।
विसृत्वरेण रजसा, तत्त्वदृष्टिविलीयते ॥६१॥ ઇચ્છાનુસાર ચાલતા ઇન્દ્રિયોરૂપી અશ્વોના આડાઅવળા પગલાથી ફેલાતી રજ વડે તત્ત્વદષ્ટિ લુપ્ત થાય છે. ૬૧
इन्द्रियाण्येव पञ्चेषु-विधाय किल सायकान् ।
जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥६२।। ત્રણેય જગતને જીતનાર કામદેવ ખરેખર પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. દર