SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) *************ઝઝઝઝ*********2************** વિષયોમાં અયોગ્ય રીતે ચેણ કરતા ઇન્દ્રિયોના સમૂહને અતિશય મોટી એવી સામ્યરૂપી મુદ્રા (સમતાભાવ) પ્રાપ્ત કરીને વશ કરવો જોઈએ. પ૭ यदामनन्ति विषयान्, विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मा-दिहामुत्रापि दुःखदाः ॥५८॥ કેટલાક વિષયોને વિષ સરખા જે કહે છે તે ખોટું છે. કારણ કે, આ વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપનાર છે. જયારે વિષ તો માત્ર આ લોકમાં જ દુઃખ આપે છે.) પ૮ यदात्मन्येव नि:क्लेशं, नेदीयोऽकृत्रिमं सुखम् । अमीभिः स्वार्थलाम्पट्या-दिन्द्रियैस्तद्विबाध्यते ॥५९॥ જે સુખ આત્મામાં જ છે, નજીક છે, ક્લેશ વિનાનું છે, સ્વાભાવિક છે; તે સુખને આ ઇન્દ્રિયો પોતે સ્વાર્થલંપટ હોવાથી રોકે છે. ૫૯ अन्तरङ्गद्विषत्सैन्य - नासीरैर्वीरकुञ्जरैः । क्षणाक्षैः श्रुतबलं , लीलयैव विलुप्यते ॥६॥ અંતરંગ શત્રુઓના સૈન્યની મોખરે ચાલનાર, વીરોમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રિયોરૂપી સુભટો શ્રતનું બળ-જ્ઞાનબળ લીલામાત્રથી ક્ષણવારમાં નષ્ટ કરી નાખે છે. ૬૦ स्वैरचारीन्द्रियाश्वीय-विश्रृङ्खलपदक्रमैः । विसृत्वरेण रजसा, तत्त्वदृष्टिविलीयते ॥६१॥ ઇચ્છાનુસાર ચાલતા ઇન્દ્રિયોરૂપી અશ્વોના આડાઅવળા પગલાથી ફેલાતી રજ વડે તત્ત્વદષ્ટિ લુપ્ત થાય છે. ૬૧ इन्द्रियाण्येव पञ्चेषु-विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥६२।। ત્રણેય જગતને જીતનાર કામદેવ ખરેખર પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. દર
SR No.005953
Book TitleAatm Samvedanna Sadhano
Original Sutra AuthorN/A
AuthorNalin Kothari, Rasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year2009
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy