SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) ********************************************** तहवि खणंपि कयावि हु, अन्नाणभुयंगडंकिया जीवा । संसारचारगाओ, न य उव्विंज्जति मूढोमणा ॥८९॥ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવો જન્મ, જરા અને મરણના તીક્ષ્ણ ભાલાથી અનેકવાર વીંધાય છે અને ઘોર દુઃખો અનુભવે છે; છતાં પણ અજ્ઞાનરૂપી સર્પથી ડસાયેલા મૂઢ મનવાળા જીવો ક્યારેય સંસારની જેલથી કંટાળતા નથી. ૮૮-૮૯ कीलसि कियंतवेलं, सरीरवावीइ जत्थ पइसमयं । कालरहट्टघडीहिं, सोसिज्जइ जीविअंभोहं ॥९०॥ જેમાંથી કાળરૂપી રેંટ પ્રતિસમય આયુષ્યરૂપી પાણી ઊલેચી રહ્યો છે, એવી આ શરીરરૂપી વાવડીમાં તું કેટલો સમય ક્રીડા કરીશ? ૯૦ रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव । િપત્નો ગુરુકુવમg-માય રોહિ િમયા? શા રે જીવ ! બોધ પામ ! મૂઢ ન બન! હે પાપાત્મન્ ! પ્રમાદ ન કર... હે મૂર્ખ ! શા માટે પરલોકમાં મહાદુઃખનું ભાજન બની રહ્યો છે? ૯૧ શુક્રાણુનીવ ! તુષ, મ મુનિ મર્થ પિ નાઝા जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥ હે જીવ! બોધ પામ ! જિનમતને જાણીને વિષયસુખમાં મુંઝાઈશ નહીં કારણ કે ફરીથી આવી. સામગ્રી મળવી દુર્લભ છે. ૯ર લેપાઈ दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी अ । दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥१३॥ જિનધર્મ ફરી ફરી મળવો દુર્લભ છે, તે પ્રમાદમાં તત્પર અને સુખશીલીઓ છે. નરકનું દુઃખ દુઃસ્સહ છે. અમે નથી જાણતા કે તારું શું થશે ! ૯૩ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । - देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जतं ॥९४॥ અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીરથી જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ કરી શકાતો હોય તો શું એટલું પર્યાપ્ત નથી? ૯૪
SR No.005953
Book TitleAatm Samvedanna Sadhano
Original Sutra AuthorN/A
AuthorNalin Kothari, Rasik Shah
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year2009
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy