________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
તે વખતે મેઘજી વિચાર કરે છે, ‘તપાગચ્છ એ જ સાચો છે. મારે શિવ-મંદિરથી કામ છે. પદવીનું તો મને નામ પણ રચતું નથી. જેમના ગુણોનો પાર નથી એવા હીરગુરુ એ જ સાચા સાધુ દેખાય છે. તેમના શિષ્યનો શિષ્ય થઈને તેમના ચરણની સેવા કરીશ.' એમ વિચારીને ભગવાનને વંદીને મેઘજી ઋષિ કહે છે?
દેવ વીર ને ગુરજી હીર શીલવંત જે સાહસધીર.” વિર પરમાત્મા એ દેવ અને હીરવિજયસૂરિ ગુરુ એ મેં નક્કી કર્યા છે.
આટલું જ્યાં એમના મુખમાંથી નીકળે છે. ત્યાં બાદશાહી વાજાં વાગે છે. ઢોલ, નિશાન ને શરણાઈ રણઝણી ઊઠે છે. બધા હીરગુરુનાં ચરણમાં નમી પડે છે.
ગુરુએ તેમને દીક્ષા આપી. ઉદ્યોતવિજય એવું નામ રાખ્યું. તેઓ જબ્બર પંડિત અને વૈરાગી પણ એવા છે. આલાપપૂર્વક રાગ ગાય છે. એકત્રીસ મુનિઓની સાથે દીક્ષા લે છે. તેમાં આંબો, ભોજો, શ્રીવંત, નાકર, લાડણ, ગાંગો, માધવ વીરા આદિ
મુખ્ય હતા.
વળી દોશી શ્રીવંત, દેવજી, લાલજી અને હંસરાજ વગેરે ગૃહસ્થો પણ લોંકામતને છોડીને હીરગુરુને પગે લાગ્યા. તેનાથી મેઘજીનો મહિમા ઘણો વધ્યો.
અનુક્રમે હીરગુરુ પાટણ પધાર્યા. અને ત્યાં વિજયસેનસૂરિને વંદન કરી પાટ ઉપર સ્થાપન કર્યા. મોટો ઉત્સવ થયો. તે વખતે મંત્રી હેમરાજ શ્રાવકે ઘણું ધન ખર્ચે સમ્યકત્વને નિર્મળ કર્યું.
પાટણમાં તે વખતે કલાખાન નામનો સૂબો ઘણો દુર્દાન્ત હતો. તેણે હીરગુરુને મળવા માટે આમંત્રણ મોકલ્યું. તેનાથી શ્રાવકો તો ઘણા ડરવા લાગ્યા. પણ હીરગુરુ તો નીડર હતા. તેઓ તો નિર્ભયપણે કલાખાન પાસે આવ્યા. કલાખાને હરિગુરુને પૂછ્યું, સૂર્ય ઊંચો કે ચંદ્ર ઊંચો ?' હીરગુરુએ કહ્યું “ચંદ્ર વધારે ઊંચો ને તેની પછી નજીકમાં સૂર્ય છે. તે સાંભળી ગુસ્સે થયેલો કલાખાન કહે છે, “અમારે ત્યાં તો સૂર્યને ઊંચો અને ચંદ્રને તેથી નીચો બતાવેલ છે. તો તમે કેમ ચંદ્રને સૂર્યથી ઊંચો બતાવો છો ?' તે સાંભળી હીરગુરુ કહે છે કે, હું કાંઈ સર્વજ્ઞ નથી. જેવી રીતે મારા ગુરુના મુખથી મેં સાંભળ્યું છે તેવું તમને જણાવ્યું છે. અમારા શાસ્ત્રમાં નીચા બતાવ્યા છે અને તમારા શાસ્ત્રમાં ઊંચા બતાવ્યા છે તો તમે ભલે તેમ માનો. કોઈ જોઈને તો આવ્યા નથી. ગુરુના મુખથી કે શાસ્ત્રથી જેણે જે જાણ્યું હોય તે પ્રમાણે સૌ કહે.” આ સાંભળી કલાખાન ખુશ થયો. હીરગુરુને કલાખાન કહે છે “તમારા મનમાં જે કાંઈ હોય તે માંગો.” હીરગુરુ કહે છે કેદીઓને મુક્ત કરો' તે સાંભળી દેહાંત દંડની સજાવાળા ચોરોને મુક્ત કરવામાં આવ્યા. એક મહિના સુધી આખા જગતમાં અમારિ – કોઈ પણ જીવની હિંસા ન કરવામાં આવે – નો હુકમ બહાર પાડવામાં આવ્યો. સૌ ઘણા રાજી થયા. કલાખાને કરેલા સારા સત્કારપૂર્વક વાજતેગાજતે હીરગુરુ ઉપાશ્રયે પધાર્યા. સકલ સંઘના મનોરથ પૂરા થયા.
પાટણથી વિહાર કરી ખંભાત આવતાં રસ્તામાં સોજીત્રામાં કારણયોગે રહ્યા. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને આજમખાન તથા હસનખાને ખંડિત કરીને આશાતના કરી હતી. તે દૂર કરાવી. પછી હીરગુરુ બોરસદ આવ્યા. ત્યાં શ્રીકર્ણ ઋષિના શિષ્ય