________________
પર
શ્રાવક કવિ ઋષભદાસકૃત
છે. તેમને વિચાર આવે છે, “મૂઢ એવા મેં પ્રતિમા ઉત્થાપી અને જગતમાં તેનો પ્રચાર કર્યો માટે હું મોટો પાપી છું.'
કવિ કયા કયા આગમોમાં જિનપ્રતિમાનો અધિકાર છે તે જણાવે છે.
નન્દીસૂત્ર, જીવાભિગમ, ઠાણાંગ, પાંચમું અંગ ભગવતી, ઉવવાઈસૂત્ર - જ્ઞાતાધર્મકથાંગમાં દ્રૌપદીએ કરેલ પૂજાનું વર્ણન છે. છેદગ્રંથ, પ્રશ્નવ્યાકરણ, રાયપ્રસણીયસૂત્ર, ભત્તપયજ્ઞા, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સમવાયાંગસૂત્ર, છેદમહાનિશીથસૂત્ર, જંબૂદ્વીપપન્નતિ, ગણિવિજ્જાપયત્રા, ઉપાસકદશાંગ, અનુયોદ્ધારસૂત્ર - આ બધાં સૂત્રોમાં જિનપ્રતિમાની પૂજાનો અધિકાર આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – આ ચાર નિક્ષેપાથી અરિહંતને ધ્યાવવાની વાત કરી છે. “એ જિનપ્રતિમાના હું ગુણ ગાઉં અને સકલ પદાર્થ પ્રાપ્ત કરું' એવું કુંવરજી ઋષિ પણ ઉપાસક શાસ્ત્ર જોઈને મનમાં વિચારે છે, અને પ્રતિમાને હૃદયમાં ધારે છે.
કવિ કહે છે કે તત્ત્વનો વિચાર કરીને જિનેશ્વરનું ધ્યાન ધરો. તેમને પૂછ-પ્રણમીને આરાધના કરો, અને મુક્તિપંથ પ્રાપ્ત કરો. મેઘજી ઋષિ ચૈત્યવંદન કરતા દેરાસરમાં બેઠા.
દહા)
સુણી વાણિ દેવી વળી, હરખ્યો હીરસૂરીંદ; રાજનગર આવ્યા સહી, જાણું ભદ્ર ગયંદ. ૪૧૭
(ઢાળ ૨૭ - દેશી ત્રિપદી ચોપાઈની) અમદાવાદમાં હીરજી જાવે, ઉચ્છવ સામણીઆં બહુ ભાવે; હીરતણા ગુણ ગાવે હો ગુરુજી.
૪૧૮ વિજયસેનને પદવી થાય, ધન ખરચે તવ મૂળો શાહ, સકળ સંઘ ગુણ ગાય હો ગુરુજી.
૪૧૯ સંવત સોળ અઠ્ઠાવીસે, ફાગણ શુદિ સાતમિ દિન કહીએ;
થાપે કર દેઈ શિર્ષે હો ગુરુજી, વિજય૦ વિમળહર્ષ થાપ્યો વિઝાય, દેખી રૂપ મોહ માનવ થાય;
આગમ અરથ ઘણાય હો ગુરુજી, વિજય૦ મેઘજી રિખિ આચારજ જેહ, લંકાનો ગછનાયક તેહ;
આવી પાય નમેહ હો ગુરુજી, વિજય૦ દીઠી પ્રતિમા જિનની જ્યારે, કુમતિ કદાગ્રહ મૂકે ત્યારે;
નરભવ સોય સમારે હો ગુરુજી, વિજય૦ સાથે સાધ મિળ્યા એકત્રીસ, જિનવર દેહરે નામે શીષ;
છોડે પાપ જગીશ હો ગુરુજી, વિજય૦
૪૨)
૪૨૧
૪૨૨
૪૨૩
૪૨૪
પા. ૪૨૪.૨ જિનજી ('ગુરુજી'ને સ્થાને)