________________
શ્રી હીરવિજયસૂરિરાસ
(દા)
બહેરે નાહ ન સાંભળ્યો, અંધે ન દેખ્યો ચંદ; સ્વાન ભસ્યો ગજ પાછળે, ગતિ ન ગઈય ગણંદ.
(ઢાળ ૨૬ દેશી ચોપાઈની
રાગ ભૈરવ) ગણંદ સરીખો મુનિવર જેહ, ત્રંબાવતીમાં આવે તેહ; સંવત સોળ છવીસો જિતેં, પુણ્ય પ્રતિષ્ઠા કરતા તિસેં. ૪૦૯ કાજગરી લિખમી તે કરે, સાતે ખેત્રે ધન વાવરે;
તીરથ યાત્રા પ્રતિષ્ઠા કીધ, માનવભવનો લાહો લીધ. હીરગુરુનો મહિમા સહુ, ઠામ ઠામ ધન ખરચે બહુ;
વિચરી હીર ડીસામાં જાય, ચોમાસે રહીઆ તિણ ઠાય. ૪૧૧ પળે અમારિ હોએ બહુ દાન, હીરવિજય મુનિ ધરતા ધ્યાન; ત્રણ્ય માસ તપ દુઃકર કરે, શાસનદેવી હીઅડે ધરે. સૂરીમંત્ર અધિષ્ટા જેહ, શાસનદેવી આવી તેહ;
૪૧૨
પગે લાગી બોલી તિણ ઠામ, કહો ગુરુજી તેડી કુણ કામ ? હીર કહે કહું સોય વિચાર, કુણને દેશું ગચ્છનો ભાર;
શીળ સત્યભાયગ બહુ આય, તે દેખાડો દેવી માય, જયવિમલને પદવી દેહ, તેથી ગચ્છ સબળો દીપેહ;
-
४०८
-
પા. ૪૧૩.૧ અદૃષ્ટા ૪૧૬.૧ જાય (‘ઠાય'ને બદલે)
ટિ. ૪૧૦.૧ કાજગરી = કામગરી, લિખમી
લક્ષ્મી
=
૪૧૦
૪૧૩
વિક્રમ સરીખો રાજા જેહ, પ્રતિબોધણ્યે વળી નિશ્ચે તેહ. ૪૧૫ શાસનદેવી વંદે પાય, કહે મુજ સમરે સંકટ ઠાય;
હીર કહે વળો દેવી માય, શાસન કામ તે તુજથી થાય. ૪૧૬
૪૧૪
દેવીની વાણી સાંભળી હીરગુરુ ખુશ થયા. જાણે ગજરાજ હોય તેવા તેઓ રાજનગર આવ્યા. રાજગરમાં સામૈયાં અને ઓચ્છવ-મહોચ્છવ થયા. બધા હીરગુરુના ગુણ ગાય છે. વિ.સં. ૧૬૨૮ ફાગણ સુદી સાતમના દિવસે જયવિમલને આચાર્યપદવી આપી વિજયસેનસૂરિ નામ સ્થાપન કર્યું. તે વખતે શાહ મૂળા નામના શ્રાવકે ઘણું દ્રવ્ય ખર્યું. સકલ સંઘે તેમનાં ગુણગાન કર્યાં.
જેમનું રૂપ દેખી લોકો મોહ પામે છે તથા જે આગમના મોટા જ્ઞાતા છે એવા વિમલહર્ષને ઉપાધ્યાયપદ ઉપર સ્થાપન કરવામાં આવ્યા. લોંકા મતના ગચ્છનાયક મેઘજી ઋષિ આચાર્ય આવીને હીરગુરુના ચરણે નમ્યા. તેઓ જિનેશ્વરની મૂર્તિ જ્યારથી જુએ છે ત્યા૨થી કુમતિ/કદાગ્રહને છોડી દે છે, અને નરભવને સફળ કરે છે. તેમની સાથે એકત્રીસ સાધુઓ છે. તે જિનમંદિરમાં મસ્તક નમાવે છે અને પાપનો ત્યાગ કરે
૫૧