________________
૫૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
વિગરવ સહુ થઈ રહિયા જિસેં, અજા બહિનિનો સસરો તિસે;
નામ તેહનો છે હરદાસ, સતાબખાનને કરે અરદાસ. ૪૦૦ આઠ વર્ષનો છોકરો ફરે, તેહને સેવડો જોરે કરે;
સુણી ખાન તિહાં ખીજ્યો અતી, કહે પકડી લ્હાવો સહુ યતી. ૪૦૧ છૂટ્યા મેવડા જેણી વાર, નાઠા હિર પૂઠે પરિવાર;
રતનપાળ શાહ ઝાલ્યો સહી, રામજી શું આપ્યો તે ગ્રહી. ૪૦૨ દીઠો રૂપ સુંદર આકાર, ખીજી ખાન બોલ્યો તિવાર;
કયું બે સેવડા ઇનકું કરે ? કયા સમજ્યા એ યોગ ક્યા ધરે ?૪૦૩ સતાબખાન બોલ્યો તિહાં સોય, કરે સેવડા ઈનકું કોય ?
મારું ઠાર ન છોડું ઉસે, સતાબખાન ઇમ હુઓ ગુસે. ૪૦૪ રતનપાળ શાહ બોલ્યો તહિં, મેં તો સેવડા કરતા નહિં;
વાહ કરુંગા ઈનકા સહી, જૂઠી બાત તુમ આગે કહી. ૪૦૫ ઇસ્યુ વાણીઓ બોલ્યો જિર્સે, ખાને જાવા દીધો તિસે
ત્રેવીસ દિન નાસરડું જોય, પછી હીરજી પરગટ હોય. ૪૦૬ અનુક્રમેં વિચર્યા પરદેશ, ઠાર ઠાર દેતા ઉપદેશ;
ચંપા પરે પૂજાએ આપ, ભમર તજે તો તેનું પાપ. ૪૦૭
બહેરાએ અવાજ સાંભળ્યો નહીં ને આંધળાએ ચંદ્રમા જોયો નહીં. કૂતરો હાથીની પાછળ ભસે છે. પણ હાથીની ગતિમાં ફેર પડતો નથી. ગજરાજ સમા હીરગુરુ વિચરતાં વિચરતાં સં.૧૬૨૬માં ત્રંબાવતી આવ્યા. તેઓ લક્ષ્મીને કામગરી કરે છે (ધનને સદુપયોગમાં લે છે.) સાતે ક્ષેત્રમાં ધન વાપરે છે. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠા કરાવીને માનવભવનો લહાવો સૌ લે છે. હીરગુરુનો મહિમા ઠેરઠેર ગવાય છે. ઠામઠામ સૌ પુષ્કળ ધન ખર્ચે છે. અનુક્રમે તેઓ ડીસા આવે છે. ત્યાં ચાતુર્માસ કરે છે. અમારિ પ્રવર્તાવે છે. ત્રણ માસ દુષ્કર તપ કરી સૂરિમંત્રનું ધ્યાન ધરે છે. અધિષ્ઠાયિકા શાસનદેવી પ્રગટ થાય છે. હાથ જોડી પૂછે છે કે “ગુરુજી, કયા કારણથી આપે મને તેડાવી ?” હીરગુરુ કહે છે, “ગચ્છનો ભાર કોને આપવો તે પૂછવા માટે તમને બોલાવ્યાં છે. પરિવારમાં શીલવંત, સત્યભાષી અને દીર્ઘ આયુષ્યવાળા કોણ છે તે બતાવો.” તે સાંભળી દેવી કહે છે, “જયવિમલને પદવી આપો. તેનાથી ગચ્છ દીપશે. વિક્રમ જેવા રાજાને તે પ્રતિબોધ પમાડશે.” શાસનદેવી હીરગુરુનાં ચરણ વાંદીને કહે છે તમે મને યાદ કરો છો તેથી દુઃખ થાય છે. ત્યારે હીરગુરુ કહે છે, “આપ સ્વથાને પધારો. બાકી શાસનનાં કામ તો તમારાથી થાય.”
પા. ૪૦૪.૨ ઠોર ટિ. ૪0૬.૨ નાસરડું = ભાગીને છુપાતા રહેવું.