SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૪૫ ત્રેવીસ દિવસ હીરગુરુ છુપાતા રહ્યા. પછી પ્રગટ થયા. દેશવિદેશ વિચરે છે ને ઠામઠામ ઉપદેશ આપે છે. તેઓ તો ચંપાના પુષ્પની જેમ પુજાય છે. ભમરા જેવા કોઈ એમને ત્યજતા હોય તો એ એમનું પાપ સમજવું. ચંપાના ફૂલ ઉપર ભમરો બેસતો નથી એથી કવિએ આવી ઉપમા આપી છે. (દુહા). રૂપે રંભા બહુલ ધન, યોવન લહિરે જાય; ઇણ અવસર રંડાપણું, પગ પગ ખટકે માય. ૩૩૦ (શ્નો) कशुभं कज्जलं कामं, कुसुमं कंकणं तथा; गते भर्तरि नारीणां, ककाराः पंच दुर्लभाः [9] દુહા) જિમ ફળ વિહુણું રૂખડું, લોચન વિણ સંસાર; જિમ ઘર શૂનું પુત્ર વિણ, તિમ નરવિહુણી નાર. ૩૩૧ પંડિત વનિતા વનલતા, ન રહે વિણ આધાર; ષભ રત્ન સોને કરી, શોભે નહિ સંસાર. ૩૩૨ સુગુણ સુવેધાં માણસા, નિર્ચે અવગુણ હેત; કઈ રંડા કેઈ વિરહણી, કેઈ સંતાન ન હુંત. (ઢાળ ૨૫ - દેશી ચોપાઈની – રાગ વેરાડી) પૂરવ કર્મ પસાએ જોય, પામી નારિ રંડાપણ સોય; | દુખણી ધર્મ કરે તે ઘણું, ભણી શીલ રાખે આપણું. ૩૩૪ નૌકાર ગુણે નવ તત્ત્વ વિચાર, ઉપદેશમાલા ગ્રંથ અપાર; જીવવિચાર ભણે મનરાગ, અરથ લહી પામી વૈરાગ. ૩૩૫ કહે પુત્રી હું સંયમ રહું, કુણ કારણ સંસારે રહું; વારે માય ન માને જિસેં, માતા વૈરાગિણિ હુઈ તિસેં. ૩૩૬ પિતા કહે ન રહું સંસાર, સંયમ ત્યે પુત્રી ને નાર; કુણ કારણ રહું આણે ઠાર, ન ગમે મુજ રહિવું સંસાર. ૩૩૭ માતપિતા ત્યે સંયમ સાર, પુત્ર તણે શિર આપે ભાર; પરણાવાની વાત જવ કરે, અમીપાલ સુત નવિ આદરે. ૩૩૮ પા. ૩૩૫.૧ સુણે (ગુણેને સ્થાને) ટિ. ૩૩૦.૨ રંડાપણું = વૈધવ્ય [9] વાર: = "કથી શરૂ થતા શબ્દો, ૩૩૧.૧ રૂખડું = વૃક્ષ ૩૩૩.૧ સુવેધાં = ચતુર ૩૩૩
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy