________________
શ્રી હીરવિજયસૂરિરાસ
પંન્યાસપદ આપ્યું. અને એ પછી સં. ૧૬૦૮માં એ જ નાડુલાઈ જ્યાં આદિનાથ ભગવાન તથા નેમિનાથ ભગવાનનાં સુંદર મંદિરો શોભે છે ત્યાં પં. હીરહર્ષજી, પં. ધર્મસાગરજી તથા પં. રાજવિમલજી – ત્રણેને મોટા મહોત્સવ સાથે ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. રાજવિજયસૂરિ ગુરુદાનસૂરિ મહારાજને મળે છે. તે બધી કળામાં નિપુણ છે. વિનય, રૂપ અને વિદ્યાથી શોભતા તેમને દાનસૂરિ મહારાજ પોતાની પાટે સ્થાપે છે. રાજવિજયસૂરિ અન્ય ગચ્છના હોવાથી ઘણા સાધુઓને તે ગમતું નથી. સાધુઓ કહે છે, ‘આપના શિષ્યને ગચ્છપતિ બનાવોને !' પહેલાં તો ગુરુ મૌન રહ્યા પછી કહ્યું કે અવસર આવશે એટલે એ કામ કરીશું. તમે સૌ હમણાં શાંત થાઓ.’
૪૩
શ્રી દાનસૂરિ મહારાજ ત્યાંથી વિહાર કરી સિરોહી આવ્યા. શ્રાવકોએ મોટું સામૈયું કર્યું. ચોમાસું પણ ત્યાં જ રહ્યા. એક વાર તેઓ ધ્યાન ધરીને બેઠા. ધ્યાનના બળે શાસનદેવી પ્રત્યક્ષ થઈ વંદન કરી પૂછે છે, ‘ઋષિરાય ! શું કામ પડ્યું કે મને આપે યાદ કરી ?' ગુરુએ કહ્યું કે, પાટ ઉપર કોને સ્થાપન કરવા તે પૂછવા માટે તમને યાદ કર્યાં.’ દેવીએ કહ્યું કે ‘હીરહર્ષને પાટ ઉપર સ્થાપન કરો જેના ચરણે રાજા પણ નમે છે.' એમ કહી દેવી સ્વસ્થાને ગયાં. કેસર-કંકુની વૃષ્ટિ થઈ. ઉપાશ્રયે દીવા થયા તથા ઘંટાનાદ થયો. ગુરુમહારાજ હીરહર્ષને આચાર્યપદવી માટેનું શુભમુહૂર્ત જુએ છે.
રાણકપુરનાં દેરાસર બનાવનાર ધન્ના શેઠના કુળમાં થયેલ ચાંગા મહેતાએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને આચાર્યપદવીનો મોટો મહોત્સવ કર્યો.
બાર તોરણવાળા મોટા મંડપો બંધાવ્યા તેમાં નરનારીઓ ભોજન કરે છે. યાચકોને ભૂષણ, વલ્ય, દ્રવ્ય વગેરેનું યથેચ્છ દાન આપવામાં આવે છે. વિ.સં. ૧૬૧૦, પોષ સુદ ૫ને ગુરુવારે હીરહર્ષને આચાર્યપદ અર્પણ કરી શ્રી હીરવિજયસૂર એવું નામ સ્થાપન કર્યું. તે પછી તેઓ પાટણ પધાર્યાં. સૌ શ્રાવકો રાજી થયા. ગુરુએ તેમને વંદન કરી જેમ સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીને આપ્યો હતો તેમ પટ આપ્યો. તે પ્રસંગે વિપુલ દ્રવ્ય ખર્ચીને ઓશવાળ સમરથ ભણશાળીએ પદનો મોટો મહોત્સવ કર્યો. ચોમેર તેની કીર્તિ ફેલાઈ. અનુક્રમે વિહાર કરતાં કરતાં નાડુલાઈ આવ્યા. ત્યાં શાહ કર્મો પ્રતિબોધ પામ્યો. ઉન્નસિત થઈ તેને દીક્ષા આપી. તેના ઘરે કોડાઈ નામની સ્ત્રી અને જેસિંગ નામનો પુત્ર છે. તે જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં સિંહને જોયો હતો. એટલે તેનું જેસિંગ એવું નામ પાડ્યું. એ પુત્ર જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે માતા એને લઈને જ્યાં ગુરુ દાનસૂરિ મહારાજ બિરાજમાન હતા ત્યાં સુરત આવ્યાં. ગુરુને વંદન કરી તેમની વાણી સાંભળી આનંદિત થયાં. વજસ્વામીએ જેવી રીતે માતાની સાથે સિંહગિરિ મહારાજની પાસે દીક્ષા લીધી હતી તેવી જ રીતે જેસિંગે પણ માની સાથે દીક્ષા લીધી. ગુરુએ જયવિમલ એવું નામ રાખી તેમને હીરસૂરિ મહારાજને ભળાવી દીધા.
ગુરુ દાનસૂરિ મહારાજ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં લોંકાના યતિ આવ્યા. તેઓ કહે છે, “અમે પ્રતિમા સ્વીકારીએ છીએ. અમને ગચ્છમાં લઈ લ્યો.' તે વખતે શ્રી દાનસૂરિજીએ તેમને હીરસૂરિજીની પાસે મોકલ્યા, પણ રસ્તામાં જ રાજવિજયસૂરિ મળ્યા. એમણે એમને દીક્ષા આપી ગચ્છમાં લઈ લીધા. એ સમાચાર ગુરુને મળતાં એમને વિચાર આવ્યો કે રાજવિજયસૂરિએ વગર પૂલ્યે લોંકાના યતિને