________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
કુમાર ઘોડા ઉપરથી નીચે ઊતર્યાં. શરીર ઉપરનાં આભૂષણો કુંડળ, મોડ, કંદોરો, હાર, બાજુબંધ અને મુદ્રિકા બધું ઉતારે છે. એ જોઈને બહેનો, પુરુષો અને સ્ત્રીઓ બધાં જ ગળગળાં થઈ રોઈ પડે છે. અને જ્યારે તેમણે પીતાંબર મૂક્યું ત્યારે તો મુનિની આંખો પણ ભીની થઈ ગઈ. ભેગા થયેલા અઢારે વર્ણના લોકો હીરજીને સંયમ લેતા જોઈને અપાર દુઃખ અનુભવે છે. સૌની આંખમાં આંસુ છે પણ હીરજીના મનમાં તો અપાર હર્ષ છે.
૪૦
મજૂર જેમ માથા ઉપરનો ભાર નીચે નાખે તેમ હીરજીએ શરીર ઉ૫રથી આભૂષણો ઉતારી દીધાં.
વાળંદ જ્યારે કેશ ઉતારે છે ત્યારે બહેન ખોળો પાથરે છે. તેમાં તે કેશ લઈ લે છે. બધા માણસો હીરજીને સંયમ લેતા જોઈને ગળગળા થઈ ગયા પણ પશુ અને પંખી રાજીરાજી થઈ ગયાં. તેઓ વિચારવા લાગ્યાં કે આજ સુધી અમે અનાથ હતાં. હવે અમારા માથે આ નાથ થશે.
હેમચન્દ્રાચાર્ય જેવો આ થશે, અને અમને મારતાં મુકાવશે. માટે હે મનુષ્યો ! તમે કોઈ રડો નહીં, પણ મનમાં હર્ષ લાવો. આ તો વીર ભગવાનના શાસનમાં સૂર્યના જેવા થશે અને એમનાથી શાસનની મહાન ઉન્નતિ થશે. પંખીના મુખમાંથી નીકળતી આવી વાણી ઉત્તમ શુકન રૂપ ગણાઈ.
જેમ ભગવાન મહાવીરે મેઘકુમારને દીક્ષા આપી હતી તેવી રીતે શ્રી દાનસૂરિ મહારાજે તેર વર્ષની વયવાળા બાળકુમાર હીરજીને વિ.સં. ૧૫૯૬, કારતક વદ ૨, સોમવાર, મૃગશીર્ષ નક્ષત્રમાં દીક્ષા આપી. એમની દીક્ષા પછી બીજી આઠની પણ દીક્ષા થઈ. તેનો અધિકાર પણ ખરેખર સુંદર છે.
અમરસંઘ નામે શેઠ છે. અમીપાલ તેમનો પુત્ર અને કપૂરા નામની પુત્રી છે. પુત્રીને સુંદર કુમારની સાથે પરણાવી પણ કર્મયોગે તે મૃત્યુ પામ્યો તેથી માતપિતાને ઘણું દુઃખ થયું.
(ઢાળ ૨૪ દેશી ચોપાઈની)
અશ્વથકી ઊતરી કુમાર, કુંડલ ખુંપ તજે શિણગાર;
ભગિની લોચન વહે જલધાર, હીર લ્યે પંચ મહાવ્રત ભાર. મૂકે કંદોરો ને કભાય, ત્યારે ગળગળાં નર બહુ થાય; બાજુબંધ મૂકે નર હાર, ત્યારે અબલા રોઈ અપાર. મૂકે પીતાંબર પામરી, મુનિ આંખ્યો આંસુડે ભરી;
વર્ણ અઢાર જોઈ દુખ ધરે, હીરકુમાર સંયમ આદરે. નાખે ઉતારી શિણગાર, જેમ હમાલી છંડે ભાર; તિમ હરખે મનમાંહિ હીર, અન્ય પુરુષ લોચન વહે નીર.
-
પા. ૩૨૦.૧ જ કભાય ૩૨૦.૨ મૂકે ને ૩૨૨.૧ જમાલી ટિ. ૩૨૦.૧ કભાય = કસબી વાઘા - વસ્ત્ર
૩૧૯
૩૨૦
૩૨૧
૩૨૨