________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૭.
વળી સંસારના દુઃખની આગળ સંયમનું દુઃખ શા હિસાબમાં છે ?
વૈરાગી બની જેણે સંસારનાં સુખોનો ત્યાગ કર્યો છે તેને તો સાધુપણામાં ચક્રવર્તીના જેવું સુખ છે, પણ જેને વૈરાગ્ય નથી તેને સંયમપર્યાય નારકના જેવો દુઃખદાયી છે.
મને તો સાચો વૈરાગ્ય પ્રગટ્યો છે, માટે તમે મોહનો ત્યાગ કરો અને અનુમતિ આપો. હું સંયમ લઉં તેથી તમને પણ અપાર પુણ્ય થશે. જુઓને બ્રાહ્મી અને સુંદરી બે બહેનો કેવી હતી, “વીરા મોરા ગજ થકી ઊતરો.” એમ કહી ભાઈને અભિમાન રૂપી હાથી ઉપરથી નીચે ઉતારી તેમને કેવળી બનાવ્યા. તમે મને આજે સહાય કરો, હું સંયમ લઈ મારું કાર્ય સિદ્ધ કરું.'
આમ વિનયપૂર્વક તે વચનો કહે છે અને સકલ સંઘ પણ વિનંતી કરે છે, “તમારા કુલમાં આ ચંદ્ર અને સૂર્ય જેવા છે. એ જિનશાસનની શાન વધારશે. એમનાં રૂપ-કાંતિ અને ઉત્તમ ગુણો જોઈને ગુરુ દાનસૂરિ મહારાજ પણ એમના માથે શાસનની જવાબદારી સોંપશે. સંયમ લઈને ઘણા જીવોને તારશે. સાધુઓમાં કલ્પવૃક્ષના જેવા થશે. માટે સંયમ માટે તમે આજ્ઞા આપો. એનાથી તમારી પણ ઉન્નતિ થશે.”
એ સાંભળીને બહેનનું હૈયું ભરાઈ આવે છે. આંખે અશ્રુની ધારા વહે છે. મોટું નીચું કરી દે છે. પણ કાંઈ બોલતાં નથી. એટલે લોકો કહેવા લાગ્યા કે આજ્ઞા મળી ગઈ.
નેમિકુમારે જેમ પરણવા આગ્રહ કરતી ગોપીઓને કાંઈ ઉત્તર ન આપ્યો પણ મૌન રહ્યા, અને તેથી તેમણે પરણવાની સંમતિ આપી દીધી છે એમ ગોપીઓએ જાહેર કર્યું તેમ અહીં પણ એવું જ થયું. શુભમુહૂર્ત જોવરાવ્યું. જિનભક્તિ મહોત્સવ ઊજવ્યો. હીરજી ઘોડા ઉપર ચડી વરઘોડામાં ફર્યા. સૌને ભાવથી ભોજન કરાવ્યાં અને દાન લઈને બધાંને સંતોષવામાં આવ્યાં. સંયમ લેવા તૈયાર થયેલા હીરજી વાજતેગાજતે ગામ બહાર ઉદ્યાનમાં આવ્યા.
(દુહા). - કુમર કહે ભગિની સુણો, દુખ આગે સંસાર;
સહી અનંતી વેદના, જીવ ભમ્યો ગતિ આર. ૨૯૨ એ સ્વરૂપ જિણે નવિ લહ્યો, સજ્જન સ્નેહ તસ હોય;
લહ્યો સ્વરૂપ સંસારનો નર સમભાવેં સોય. ૨૯૩ માતપિતા બંધવ ત્રિઆ, પુત્રહ મિત્ર સગાય;
એહ જ ભર્વે જીવ જ તણે, બહુ દુખદાઈ થાય, ૨૯૪ ચુલ્હણી બ્રહ્મ ત્રિયા હવી, દીરઘપૃષ્ઠસું ખાય,
નિજ સુખ કારણે સુત હણે, લાખી મોહોલ લગાય. ૨૯૫ રાજ તણો તરશ્યો ઘણું, કનકતુ જે રાય.
અંગ ઉપાંગ સુતનાં વળી, છેદે મૂકી ઘાય. ૨૯૬ પા. ૨૯૩.૧ સંસારસ્વરૂપ ૨૯૪.૧ પ્રિયા (ત્રિઓને સ્થાને)