SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રાવક કવિ ષભદાસકૃત નિજ બહિનીને વીનવે, દે મુજ તું આદેશ; સંયમમારગ આદુ, ટાળું પાપક્લેશ. ૨૬૮ (ઢાળ ૧૯ - ઇમ વિપરીત પ્રરૂપતા – રાગ આશાવરી સિંધુ) ભાતવચન શ્રવણે સુણી, ઢળતી ભગિની ધરણિ રે; કરણે રે શબ્દ પડ્યો તસ નવિ રૂચે એ. ૨૬૯ શીતલ વાય યોગે કરી, હુઈ સચેતન બાઈ રે; ભાઈ રે નામ ન ત્યે દીક્ષાતણું એ. ૨૭૦ માય તાય હવડાં હજી, પરલોકે સંચરી રે; વિસરી રે તે અમને નવિ દોય જણાં એ. ૨૭૧ વળી તું સંયમ આદરે, તો વળી કેહને કહીંએ રે; કિમ રહીએ રે માય હાય બંધવ વિના એ. ૨૭૨ દુખમાંહે દુખ નવિ દીજીએ, જુઓ વિચારી વીરો રે; નીરો શીતકાળે નવિ છાંટીએ એ. ૨૭૩ પડતાં નર નવિ પ્રેલિયે, નિરધનનું નવિ લીજે રે; નવિ દીજે રે દાધે ખાર મુઝ બંધવાએ. ૨૭૪ જિન નિરાગી જેહવો, વીરે મોહ ન મેહલ્યો રે; નવિ ઠેલ્યો રે બંધવ બોલ કાકા તણો એ ૨૭૫ શિવકુમાર સાહમું જુઓ, તેણે સંયમ નવિ લીધું રે; કીધું રે તેણે તાત તણું કહ્યું એ. ૨૭૬ તુલ્મ બંઘવ માનો કહ્યું, રહો ઘર તુહ્મ પરણાવું રે; જાવું રે તુમને ન ઘટે ઈણ સમે એ. ૨૭૭ હીરજી કહે છે, “બહેન ! તમે વાત તો રીતસરની કહી છે. પણ હું કહું તે થાવાપુત્રની વાત સાંભળો. થાવસ્ત્રાપુત્ર ભગવાનની વાણી સાંભળી બોધ પામ્યો. બત્રીશ નારી સહિત પરિવારને છોડી સંયમ લેવા તૈયાર થયો. તેની માતા રડતી રડતી કૃષ્ણ વાસુદેવ પાસે આવી. પુત્રને પણ ત્યાં બોલાવ્યો. કૃષ્ણ કહ્યું કે ઘરમાં રહી સુખ ભોગવ.' ત્યારે થાવસ્ત્રાપુત્રે કહ્યું કે “જો મરણનો ભય દૂર કરો તો હું ઘરમાં રહી મઝા કરું.” કૃષ્ણ કહ્યું, “તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ કે ઈન્દ્રને પણ મરણે મૂક્યા નથી, તો તને અમરપદ કોણ આપશે ?” “તો પછી મને શા માટે ઘરમાં રહેવાનું કહો છો ? મારે તો હવે એવો ઉપાય કરવો છે કે જ્યાં જન્મ-જરા-મરણ કાંઈ ન હોય.” * થાવસ્ત્રાપુત્રનું ચિત્ત મજબૂત જાણીને કૃષ્ણ મહોત્સવ કર્યો અને તેણે એક પા. ૨૭૧.૨ અમ મનિ ટિ. ૨૬૮.૧ આદેશ = રજા
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy