SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ વૃક્ષથી દુઃખી થતા નારકીઓના શરીરમાં કેટલાયે રોગો હોય છે. વળી તે અત્યંત દુર્ગધમય હોય છે. તિર્યંચ ગતિના જીવોને પણ ઘણાં દુઃખ સહન કરવો પડે છે. ઘોડાને ચાબુક, હાથીને અંકુશ તથા બળદને આરના પ્રહારો સહન કરવાની સાથે બંધન, નિપાતન, અને વધનાં દુઃખો પણ સહન કરવો પડે છે. તે જીવો સંસારમાં ખરેખર પુણ્યહીન છે. માનવનાં દુઃખ તો પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખ તો ઘણું ઓછું અને વિઘ્નો પાર વિનાનાં. મનુષ્યને આજીવિકાનું દુઃખ. કોઈ ગાળ દે તે દુઃખ. અનિષ્ટ વાસનું દુઃખ. રોગ, મરણ, ધનહરણ નિમિત્તે દુઃખ. વળી મનનો સંતાપ રહ્યા કરે. તેમજ દરિદ્રતા આદિ દુઃખથી દુઃખી થતો માનવી મૃત્યુ પામે છે ને મનુષ્યગતિ હારી જાય છે. દેવતાઓને દિવ્ય ભૂષણો અને વિમાનની દ્ધિ ભોગવતાં ઘણું સુખ હોય એવું દેખાય છે, પણ એમને પોતાનું અવન જોઈને જે દુઃખ થાય છે તે કહેવું પણ મુશ્કેલ છે. દેવતાઓનું હૃદય બલવાન હોય છે એટલે ફાટી જતું નથી. બાકી બીજા જો કોઈ હોય તો તેના સેંકડો ટુકડા થઈ જાય. વળી એકબીજાની ઋદ્ધિ જોઈને ઈર્ષ્યા થાય, અભિમાન થાય અને ક્રોધાદિ કષાયવાળા પણ બને. માટે સુખિયા દેખાતા એવા દેવતાઓ પણ દુઃખિયા જ છે. આ રીતે ચારેય ગતિમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. પણ જે સારી રીતે ધર્મ આરાધે છે તે અજરામર મોક્ષપદને મેળવે છે. સનતકુમાર ચક્રવર્તીએ દેવતાના વચનથી બોધ પામી જેમ સંયમ લીધું તેમ કેટલાક સરળ જીવો થોડાંક વચનોથી પણ બોધ પામી જાય છે. અને કેટલાક હજારો ઉપદેશ દેવા છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાયી રાજાને મારનાર વિનયરત્નની જેમ બોધ પામતા નથી. ઢંઢણકુમારે (કૃષ્ણ મહારાજાના પુત્ર) રાજ્યસુખ છોડીને સંયમ લીધું અને પોતાની લબ્ધિથી આહાર મળે તો જ લેવો એવો અભિગ્રહ કરી છ મહિના સુધી આહાર ગ્રહણ ન કર્યો અને છેલ્લે મળેલો આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો એવું ભગવાન નેમિનાથના વચનથી જાણી તે આહાર પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન પામ્યા. (દુ) પાટણમાં રહી હીરજી, વિજયદાનસૂરિ ત્યાંહિ; પ્રેમેં આવ્યો વાંદવા, પૌષધશાલા માંહિ. ૨૪૪ કરી ત્રાસણ વાંદતો, ગોયમ સોયમ ભાખિ; પોથી પુસ્તક પૂજતો, કરે કપૂર જ રાખ. ૨૪૫ દેવ ગુરુ ને જ્યોતિષી, મિલવો રાજા સાથ; અષભ કહે નર સાંભળો, ન જઈએ ઠાલી હાથ. ૨૪૬ તેણે કપૂર જ કર ગ્રહી, પૂજે ગુરુની દેહ; મુદ્રા નવ અંગે ધરે, સુણે વખાણ જ તેહ. ૨૪૭ ટિ. ૨૪૫.૧ ગોયમ સોયમ = ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy