________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૯
ઇણે વચને હરખાં માત તાત, સુખભર કાળ તિહાંકણ જાત; ( કાળે આઉખાં પૂરાં થાય, કંઅરો નાથી સુરઘર જાય. ૨૩૦ માતપિતાનું દુખ મન ધરે, સંસાર કડુઓ જાણ્યો શરે;
કોઈ ન રહિયો નર થિર થઈ, હરી ચક્રી જિન ચાલ્યા વહી. ૨૩૧
કાળ બધાનું ભક્ષણ કરે છે. પણ કોઈ કાળનું ભક્ષણ કરી શકતું નથી. કાળ એવો જબરો શિકારી છે કે જે નાનામોટા સૌનો શિકાર કરે છે.
કવિ બીજા દુહામાં સુંદર મઝાનું રૂપક આપે છે. કાળરૂપી સુથાર સૂર્યચંદ્ર રૂપી કરવત વડે આયુષ્યરૂપી લાકડાને વહેરે છે.
પૃથ્વી તો એવી ને એવી નવી જ રહે છે. માણસ જૂનો થાય છે. જે વખતે જેનો વારો આવે છે તે નાચ નાચીને રવાના થાય છે. કેટકેટલા ઢોલનગારાં વગાડતાં વગાડતાં ચાલ્યા ગયા. આપણા દેખતાં દેખતાં જગત ગયું અને જગતના દેખતાં દેખતાં આપણે ગયા.
હીરના મનમાં વિચાર આવે છે કે જોતજોતામાં માબાપ ચાલ્યાં ગયાં. સંસારમાં આત્મ-શરીર બધું અસ્થિર છે. આપણે પણ એક વખત નક્કી જવાનું છે.
પોતાનો ભાઈ માતાપિતાના વિયોગથી દુઃખી થઈ રહ્યો છે એ વાત પાટણ રહેતી એમની બે બહેનોની પાસે પહોંચી. તે બન્ને મનમાં દુઃખ ધરતી હા ણપુર આવી. ભાઈને ઘેર ઊતરી. માતાપિતાને યાદ કરતી બન્ને ખૂબ રડી. કેટલો બધો એમનો અમારા ઉપર મોહ હતો પણ અંતે તેઓનો વિયોગ થયો. વળી છેલ્લે તેમનો મેળાપ પણ ન થયો. તે પૂર્વજન્મમાં પાપ જ ગણાય.
પૂર્વનાં પાપ તો સહુ કોઈને ભોગવવાં પડે છે. જુઓને, બલભદ્રને કૃષ્ણ-વાસુદેવ ઉપર કેટલો બધો મોહ હતો ! તે પાણી લેવા ગયા ને કૃષ્ણનું મૃત્યુ થયું. મહાવીરસ્વામી મોક્ષે ગયા ત્યારે હંમેશાં પાસે રહેનારા ગૌતમસ્વામી તેમની પાસે ન રહી શક્યા. તેઓ દોડ્યા પણ ભગવાન મળવા નહીં. કર્મમાં જે વિયોગ લખ્યો હોય તે ટાળ્યો ટળતો નથી.
. અમે પણ પૂર્વે એવા વિયોગ કરાવ્યા હશે. તેથી જ અમને માબાપનો યોગ ક્યાંથી થાય ?'
આમ બન્ને બહેનો યાદ કરી કરીને પૂરે છે. છેલ્લે મનને વાળે છે. ઘણા દિવસ ત્યાં રહી પછી જ્યારે પાટણ આવવા નીકળે છે ત્યારે હીરને સાથે લે છે.
દુહા) કાળે જગ ખાધો સહી, કુણે ન ખાધો કાળ;
કાલ આપેડી જગ વડો, જેણે લખીઆ વૃદ્ધ બાળ. ૨૩૨ આઉખારૂપી લાકડું, રવિશશિરૂપ કરવત્ત;
કાળ રૂપીઓ સૂત્રધાર, વહેરી આણે અંત. ૨૩૩ ટિ. ૨૩૦.૨ આઉખાં = આયખું, આયુષ્ય, સુરઘર = દેવલોક ૨૩૨.૨ આહેડી = શિકારી,
ભખીઆ = ખાઈ ગયો ૨૩૩.૨ સૂત્રધાર = સુથાર