SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત બોલાવ્યા. તેઓએ સ્વપ્નની વાત સાંભળી, ઉત્તમ લક્ષણવંત પુત્રજન્મનું ફળ બતાવ્યું. ત્રણ માસનો ગર્ભ થતાં માતાને ઉત્તમ દોહદો ઉત્પન્ન થયા ઃ લાવ, હું પરમાત્માની પૂજા કરું, શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જાઉં, મુનિરાજને દાન દઉં અને અમારિ-પડહ વગડાવું.' ૨૨ કુંઅરો શાહે નાથીદેવીના બધા જ દોહદો પૂર્ણ કર્યાં. નવ મહિના ને ઉપર સાત દિવસ પૂર્ણ થતાં વિ.સં.૧૫૮૩, માગશર સુદ ૯ને સોમવારના દિવસે નાથીદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. નિપુણ જ્યોતિષીએ તેમની જન્મકુંડળી બનાવી. મેષલગ્ન આવ્યું. અને તેના બાર ભુવનમાં જ્યાં-જ્યાં જે-જે ગ્રહો હતા તેનો નિર્દેશ કરવામાં આવ્યો. પુત્રની જન્મકુંડલી આ પ્રમાણે બનાવવામાં આવી : ო ૫ બુધ-વિ-શુક્ર ૨ ૪ મંગળ કે. ૧ ગુરુ ૭ રાહુ ૧૨ ૧૦ શિન ८ ૧૧ વળી તે બત્રીશ લક્ષણથી યુક્ત આ પ્રમાણે છે : હૈયું, ગાલ અને મુખ એ ત્રણ વિશાળ છે. નાભિ, સત્ત્વ અને સ્વર એ ત્રણ ગંભીર છે. પીઠ, સાથળ અને પુરુષચિહ્ન એ ત્રણ લઘુ છે. આંગળી, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ સૂક્ષ્મ છે. શરીર, આંખ, હાથ, હૃદય અને નાક એ પાંચ લાંબાં છે. ૯ ચંદ્ર ગ્રહયોગ જોતાં આ જાતક ત્યાગી, વૈરાગી, યશસ્વી અને મહાન પરોપકારી થવાની આગાહી કરવામાં આવી. નાક, ખભા, નખ, કાંખ, હૃદય અને મુખ એ છ ઊંચાં છે. હોઠ, આંખ, જીભ, તાળવું, નખ અને હાથપગનાં તળિયાં એ છ લાલ રંગનાં છે. તથા હાથમાં હાથી, ઘોડો, રથ, પાલખી, શસ્ત્ર વગેરેની રેખા અને અંગે શસ્ત્રનો આકાર છે.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy