________________
૧૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
તમને રાજ્ય આપ્યું છે તો તમે ઓશવંશની સ્થાપના કરી, પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ બંધાવો અને બાજુમાં મારું મંદિર કરો.”
તે પછી ઓહડ જાગ્યો. રાજાને મળી સ્વપ્નની બધી વાત કરી. તે સાંભળી રાજા પણ ખુશ થયો. તેણે ઓશવંશની સ્થાપના કરી. પાર્શ્વનાથ પ્રભુનું તથા તેની બાજુમાં દેવીનું મંદિર બંધાવ્યું. એને કારણે તેણે ‘અરડકમલ્લ ઓશવાલ' એવું નામ સ્થાપન કર્યું.
(ઢાળ ૧૦ - કાયાવાડી કારમી – રાગ પરજીઓ) . પુણ્ય મનોરથ સવિ ફળ્યા, પામ્યા સકળ નિધાન;
ન ટળ્યું સજ્જન રૂસણું, દોહેલો મૂકવો માન. પુણ્ય. ૧૧૪ દિન દિન દોલત દીપતી, બહુ શાતા હોય;
નગર તણો મહિમા ઇસ્યો, નહિ નિરધન કોય. પુયે. ૧૧૫ ઓહડ ઘર એક ગાવડી, વન ચરવા જાય;
અણદોહી દૂઝે તહિં, ભરે જાગલ ગાય. પુયે. ૧૧૬ ઘરે દોહતાં દૂઝે નહીં, લહ્યો ભેદ અપાર;
ભૂમિ ખણી તવ કાઢીઓ, જિન “પાસકુમાર.” પુણ્ય. ૧૧૭ ઓહડ સૂતો સુપનમાં, આવી સચી જગાય;
કહે દેવી જાગો નરા, તૂઠી પુણ્યપસાય. પુયે. ૧૧૮ સૂતો ઓહડ તે સુણે, સંપ્યું તુને રાજ;
નગરઅધિષ્ટા હું સહી, આવી પરખ આજ. પુણ્ય. ૧૧૯ ઓશવંશની સ્થાપના, જિન પાસનો પ્રાસાદ;
પાસે મુજ મંદિર કરે, સુણાવે સહુ સાદ. પુછ્યું. ૧૨૦ જાગ્યો ઓહડ જવ વળી, જઈ ભેટ્યો મહારાજ;
ભૂપ કહે ભલે આવીઆ, કહો જે કાંઈ કાજ. પુણ્ય. ૧૨૧ ત્રય વાણિ સુપને લહી, સુણો તે મહારાજ;
આવી દેવી સવી કહી ગઈ કીજે તે કાજ. પુયે. ૧૨૨ ઓશવંશની થાપના, જિનનો તે પ્રાસાદ;
દેવીભવન પાસે કરો, હોયે તુહ્મ જશવાદ. પુયે. સુણી વચન નૃપ હરખીઓ, મેળ્યો સર્વ સમુદાય;
પાલભવન નિપાઈઓ, મંદિર દેવી માય. પુયે. ઓશવંશની થાપના, “ઓશ” વાચ્યું જેણિ;
અરડકમલ્લ ઓશવાળ એ, હુઆ કારણ તેણિ. પુણ્ય. ૧૨૫ પા. ૧૧૬.૧ વને ૧૧૯.૧ સંતૂઠી ઓહહ સુણે ૧૧૯.૨ અદષ્ટા ૧૨૨.૨ સચી આવી દેવી કહી
ગઈ ૧૨૫.૧ ઉવસ ટિ. ૧૧૯.૨ નગરઅધિષ્ટા = નગરની અધિષ્ઠાત્રી દેવી
૧૨૨
૧૨૩
૧૨૪