________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ગુરુ શ્રી હીરવિજયસૂરિના બેંતાલીસ પૂર્વજોનું વર્ણન તેઓનાં નામ તથા તેઓમાં રહેલા તે-તે વિશિષ્ટ ગુણ કે કાર્યના નિર્દેશપૂર્વક આ ઢાળમાં કરવામાં આવ્યું છે.
સૌથી પ્રથમ ૧. રાજા રણસિંહ થયા પછી ૨. દેવરાજ, ૩. અભયચંદ, ૪. નાહનશી, ૫. ઉદયકરણ, ૬. જેસિંગ, ૭. તેજો, ૮. લીંબો, ૯. રાજો, ૧૦. માંડણ, ૧૧. ખેતો, ૧૨. હાંડણ, ૧૩. સમરો, ૧૪. રામ, ૧૫. મેઘો, ૧૬. રોહણ, ૧૭. પુરંદર, ૧૮. સહિજો, ૧૯. નાનજી, ૨૦. સોનો, ૨૧. કરમશી, ૨૨. ડાહ્યો, ૨૩. તોલો, ૨૪. મહારાજ, ૨૫. સંઘોસિંહ, ૨૬. દેવચંદ, ૨૭. રાજધ૨, ૨૮. [એક નામ ખૂટતું જણાય છે.] ૨૯. ગાંજણ, ૩૦. વિમલ, ૩૧. આસપાલ, ૩૨. રંગો, ૩૩. સાજણ, ૩૪. રોહો, ૩૫. શામળ, ૩૬. સાગર, ૩૭. આસગ, ૩૮. દેવશી, ૩૯. બાહડ, ૪૦. દામો, ૪૧. કુંઅો, ૪૨. ગુરુ શ્રી હીર.
આ રીતે રાજા રણસિંહથી બેંતાલીશમી પેઢીએ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ મહારાજ થયા. તેમણે પોતાની બધી પેઢીને ઊજળી કરી. આકાશમાં કરોડો તારા વચ્ચે જેમ ચંદ્રમા અને દેવસભામાં જેમ ઇન્દ્ર શોભે છે મુનિઓમાં એક પટ્ટધરનો સૌ વિવેક કરે છે. એક ચક્રવર્તીનો ઘણી નારીઓ શણગાર કરે છે, વંશમાં એક સારો પુરુષ હોય છે તે બધાને શોભાવે છે.
ઋષભદેવ પ્રભુએ અસંખ્યાતી પાટને દીપાવી, એવી જ રીતે ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજે પોતાની બેંતાલીશ પેઢીને અજવાળી તારી. કરણીથી જ માણસ અમર બને છે.
ઓશવંશમાં થયેલા એવા કેટલાક વિશિષ્ટ પુરુષોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારિંગ શેઠે નવ લાખ બંદીઓને છોડાવ્યા. સમરોશા શેઠે ગિરનારશત્રુંજયનો સંઘ કાઢ્યો તથા શત્રુંજય ગિરિરાજનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો.
કરમાશાએ શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કરાવ્યો. સંગ્રામ સોનીએ શિયળના પ્રભાવે વાંઝિયા આંબાને પણ ફલિત બનાવ્યો અને માંગ્યા મેહ વરસ્યા. વળી, શ્રી હીરવિજયસૂરિના પિતા કુંઅરો શેઠ શુદ્ધ સમ્યક્ત્વ ધારી, ક્રોધાદિ ચાર કષાયોને જીતનાર, સત્ય અને શિયળથી શોભતા, સાધર્મિકની ભક્તિ કરનાર, શુદ્ધ વ્યવહાર પાળનાર, જીવદયામાં અગ્રેસર અને અમૃત સરખી વાણી બોલનાર હતા.
(દુહા) ઓશવંશ ગુરુ હીરજી, પરિમ કહું બહિતાલ;
નૃપ રણસિંહ પ્રથમે હવો, ઉત્તર દિશિ ભૂપાલ. (ઢાળ ૧૧ દેશી ચોપાઈ છંદની)
ભૂપતિ રણસિંહ સબળી લાજ, સુત તેહનો સુંદર દેવરાજ; અભયચંદ તસ બેટો જાણ, તેહનો નાહનસી ગુણની ખાણ.
પા. ૧૨૭.૨ નાનસી
ટિ. ૧૨૬.૧ પરિ કહું બહિતાલ
બેંતાલીસ પેઢી કહ્યું.
=
1
૧૭
૧૨૬
૧૨૭