________________
૧૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
તે સાંભળી રાજા કહે છે કે, “છોકરો સોળ વરસનો થયો હોય અને તે જો પિતાની લક્ષ્મી ભોગવતો હોય તો તે પુત્ર નહીં પણ શત્રુ જ છે. એ તો દેવાદાર ગણાય.”
આ વાત જ્યારે છોકરાએ સાંભળી ત્યારે તેને લાગી આવ્યું. એણે મનમાં નક્કી કર્યું કે હવે મારે અહીં એક ક્ષણ પણ રહેતું નથી. મારે મારા ભાગ્યની પરીક્ષા કરવી છે.' એમ વિચારી તે ઓહડની દુકાને આવ્યો. તેણે પોતાના મનની વાત ઓહડને કરી ત્યારે હવે કહ્યું કે, “મારે પણ મારા ભાઈથી મનદુઃખ છે. માટે ચાલો આપણે બેય પરદેશ જઈએ.” એમ કહી, ઘરે વાત કરી, ધન સાથે લઈ, ઘોડા ઉપર બેસી તે બન્ને જણા ઘેરથી નીકળી ગયા. શુકન સારા થયા. ઉત્સાહપૂર્વક આગળ વધતાં તેઓ સિંધુદેશમાં ઠઠ્ઠાનગરમાં પહોંચ્યા. ત્યાંનો રાજા તેના (રાજાના પુત્ર) ઉપર ખુશ થઈને તેને હાથી, ઘોડા, રથ અને ગાય આપવા માંડ્યો. પણ તેનો તે સ્વીકાર કરતો નથી.
તેણે રાજાને કહ્યું કે “જે ભૂમિનો કોઈ માલિક ન હોય તે ભૂમિ મને આપો. હું ત્યાં નવું નગર વસાવીને રહીશ.' ત્યારે ચારેય દિશામાંથી ઉત્તર દિશા તરફની ભૂમિ
એને પસંદ પડી.
રાજાએ કહ્યું કે, “મારો ઘોડો દેવાંશી છે. તેને પ્રણામ કરજો. સારો ભોગ ધરજો. તેના ઉપર બેસી ઉત્તર દિશા તરફ રેતીના મેદાનવાળા પ્રદેશમાં જજો. આઠ પહોર ઘોડાને છૂટો મૂકી એ જે જગ્યા પસંદ કરે ત્યાં નગર વસાવજો. ઘોડો પાછો આવે ત્યારે એને મોતીએ વધાવજો.”
રાજાનું વચન સાંભળી તેણે એ પ્રમાણે કર્યું. નવું નગર વસાવી તેનું “ઉએસ” એવું નામ રાખ્યું. પોતાનું ઉદય નરેશ એવું નામ સ્થાપ્યું. અને ઓહડને મંત્રી તરીકે સ્થાપિત કર્યો
(ઢાળ ૯ – દેશી તુંગીઆ ગિરિશિખર સોહે) કહે મંત્રી સુણો નરપતિ, મનાવો નિજ પુત્ર રે;
સકળ દેશ નૃપ સહુએ માને, રાખે એ ઘરસૂત્ર ૨. કહે. ૯૮ પિતા કહે એ કિસ્યુ કરશ્ય, રસી ન વાસે દેશ રે;
પડ્યાં પડ્યાં ખાયે બાપ કેરો, બળ નહિ લવલેશ રે કહે. ૯૯ સોળ વર્ષનો પુત્ર પોઢો, તાલ લખિમી ખાય રે;
સુત નહિ તે શત્રુ જાણો, રણીઓ તે કહેવાય રે. કહે. ૧૦૦ ઇસી વાણી સુણે બેટો, નવિ રહું એણે રાજ રે;
કરું ભાગ્ય તણી પરીખ્યા, ઐસી રહ્યો કુણ કાજ રે ! કહે. ૧૦૧ રીસાવી જવ રાય ચાલ્યો, આવ્યો ઓહડ હાટ રે;
આસન દેઈ શાહ પૂછે, ઉચ્છક સુધે શ્યા માટ રે ? કહો. ૧૦૨ પા. ૧૦૨.૧ બોલ્યો (“ચાલ્યોને સ્થાને) ૧૦૨.૨ વગર (ઉચ્છકાને સ્થાને) ટિ. ૧૦૦.૨ રણીઓ = ૩ણી ૧૦૧.૨ પરીખ્યા = પરીક્ષા ૧૦૨.૨ ઉચ્છક = ઉત્સુક