________________
૧૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ચિત્ત વિમાસી માન તજીને, ગયો રોહડની પાસે;
એક લાખ ઉછીના આપો, રહું ગઢમાં તુમ પાસે હો. સુણી ૮૩
ઓહડની વાત રોહડે કાંઈ મનમાં લીધી નહીં. તે વખતે રોહડના મનમાં જે વિચાર આવે છે તેનું વર્ણન કવિ અનેક ઉપમાઓ આપીને કરે છે.
પોતાના દેશમાં કડવો લીંબડો હોય તોય તે મીઠો છે. પરદેશમાં દ્રાક્ષના માંડવા હોય તોય તે શા કામના ?
અલ્યા ભમરા ! થોડાક દિવસ લીંબડા ઉપર બેસીને વિતાવ, શરદઋતુ આવશે અને વળી કેતકી-કેવડો મહોરી ઊઠશે. પછી તો રંગરેલ છે.
બધા દિવસો ક્યાં કોઈનાય સરખા જાય છે. ચંદ્રમાની કળામાં પણ ચડ-ઊતર થાય જ છે. એના પણ બધા દિવસો સરખા હોતા નથી.
ઓહડના મનમાં વિચાર આવે છે કે “મેં વળી ક્યાં એની પાસે પૈસા માગ્યા ? ન માગ્યા હોત તો સારું હતું. પૈસા તો મળ્યા નહીં અને ઉપરથી આબરૂ ગઈ.' વળી, એને મનમાં ગુસ્સો આવ્યો અને આવેશમાં ને આવેશમાં પોતાના ભાઈને કહ્યું કે “રાવણ જેવો રાવણ પણ કાંઈ નથી લઈ ગયો તો શું તું સાથે લઈ જવાનો હતો ?”
ત્યારે રોહડે કહ્યું કે “તારા વગર ગઢમાં શું અટકવાનું છે ? એક તો માંગવા આવ્યો છે ને વળી પાછો રાતોપીળો થાય છે.'
એ સાંભળી ઓહડને ઘણો આઘાત થયો. તે ઘેર ગયો ખરો પણ મનમાં ઘણી લજ્જા થઈ. તેને વિચાર આવ્યો કે માંગનાર માણસ ધિક્કારપાત્ર બને છે.
માંગવા જનારની ગતિ, કેડ અને સ્વર એ ત્રણમાં ભંગ થાય છે. શરીરે પરસેવો થાય છે. તે શરીર ઢીલું પડે છે.
રોહડે પોતાના પ્રત્યે જે વર્તાવ કર્યો એનો ડંખ એના મનમાં રહ્યા કર્યો.
આ અરસામાં તે નગરના રાજાનો પુત્ર પોતાના પિતાની પાસે ગરાસ માંગવા જાય છે. એને માંગતાં માંગતાં છ મહિના વીતી ગયા પણ રાજા આપતો નથી. ત્યારે મંત્રી રાજાને કહે છે કે પુત્ર નાનો છે, પણ સિંહબાળ છે. તે મોટા હાથીના માથે પણ છલાંગ મારે તેમ છે.”
| (દુ). બોલાવ્યો બોલે નહિ, નયણ ન મળે તાર;
અણપૂછ્યું ઉત્તર હુઓ, બૂઝિ ન પુરુષ ગમાર. ચિત્ત અલુબ્ધ માણસે, જે અનુરાગ ધરત;
સૂકે હાડ શિઆળ જિમ, લાળે પેટ ભરત. ૮૫ પા. ૮૩.૨ ગઢ થાનક. કડી ૮૩ પછી આ કડી વધારાની ?
રોહડ ચિંતે નહીં દે લતા, એ કોણ વઢે,
નીસત્ત નીરગુણ નીચું જોઈ, મુખથી નવિ બોલે હો. ટિ. ૮૫.૧ અલુબ્ધ = રાગ વિનાનો