________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ઇસ્યુ નગર પાલ્ડણપુર જ્યોહિં, હીરવિજયસૂરિ હુઆ ત્યાંહિ; હિર તણાં પરીઆં બેતાલ, સાંભળજો નરનારી બાલ. ૭૫
શ્રી હીરવિજયસૂરિ મહારાજના પૂર્વજોમાં સિંહના જેવો પરાક્રમી ઉત્તર દેશનો રાજા રણસિંહ થયો.
તેનું ગોત્ર ખીમાણંદી અને તેનો વંશ રાઠોડ હતો.
તે વિ.સં.૧૦૦પમાં શ્રી રત્નસૂરિ મહારાજના ઉપદેશથી પ્રતિબોધ પામી જૈન ધર્મી બન્યો, અને ઓશવાલ વંશની સ્થાપના થઈ. તેનો ઇતિહાસ આ પ્રમાણે છે.
શ્રી શ્રીમાલનગરમાં ઓહડ તથા રોહડ નામના બે ભાઈઓ રહેતા હતા. તેઓ બન્ને કોટિધ્વજ હતા. એ નગરમાં એવો રિવાજ હતો કે જેની પાસે ક્રોડ દ્રવ્ય હોય તે નગરની અંદર રહે અને એનાથી ઓછું હોય તે નગરની બહાર રહે.
એવામાં ઓહડની પાસે ક્રોડ દ્રવ્યમાં એક લાખ ઓછા થયા એટલે તેણે પોતાના ભાઈ રોહડને કહ્યું કે “તું મને એક લાખ ઉછીના આપે તો મારા મકાન ઉપર ધજા કાયમ રહે અને હું નગરમાં તારી પાસે રહું.”
(ઢાળ ૭ - મગધ દેશનો રાજા રાજેશ્વર, રાગ સારિંગ) સાંભળજો નરનારી સહુએ, પ્રથમે નૃપ રણસિંહો; ઉત્તરદેશનો રાજા કહીએ, જિત્યો પંચાયણ સિંહો :
સુણીએ હરતણો તે વંશો. (આંકણી) નગરનિવેસ તણો તે નાયક, ખીમાણંદી ગોત્રો:
રાઠોડાં રજપૂત તે મોટો, પરબત જિમ માનુષીત્રો હો. સુ. ૭૭ સંવત્ પાંચ દાહોરર જ્યારે, હુઓ શ્રાવક પર્મ;
શ્રીરત્નસૂરે તે પ્રતિબોધ્યો, દીધો જિનવરધર્મ હો. સુ હુઈ થાપના ઓશવંશની, સુણજો સોય કથા ય;
શ્રી શ્રીમાળનગરમાં વસતા, ઓહડ રોહડ બે ભાય હો. સુ. નગરકોટ માંહિ તે વસતા, કોટીધ્વજ કહિવાય;
લાખીણા રહેતા પુર બાહિર, એહવો નગરી ન્યાય હો. સુ. ૮૦ ઓહડને ઘર લખિમી ખૂટી, ગાંઠે લાખ નવાણું;
વાણિગ વાત વિચારે ત્યારે, ગઢમાં તે ન રતિવાણુ હો. સુ. ૮૧ કોટીધ્વજ ઘર ધ્વજ લહકતી, ધન ઘટતું તવ પડતી; તિણ કારણ ઓહડને ચિંતા, હુઈ દશા તસ ઘટતી હો. સુ. ૮૨
પા. ૭૬.૨ સિંહો હો... ૭૭.૨ માંનષો જો..... ૭૮.૨ શ્રીરત્નસૂરિ ૮૨.૨ હુઈ દિસા તે પડતી ટિ. ૭૫.૨ પરીઆં = પેઢી ૭૬.૨ પંચાયણ = પંચાનન ૭૭.૨ માનુખોત્રો = માનુષોત્તર ૭૮.૧
પર્મ = પરમ