SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત કહેવામાં આવતા. બાકી જેઓ લખપતિ હોય તેઓને નગરની બહાર વસાવવામાં આવતા હતા. ત્યાં ઘણા ભક્તિમંત શ્રાવકો વસતા હતા. હાલવિહાર ચૈત્યમાં રોજ પાંચ મણ ચોખા અને સોળ મણ સોપારી ભંડારમાંથી નીકળતાં હતાં. તે નગરમાં ઘણી પૌષધશાળાઓ હતી. તેમાં એક પૌષધશાળામાં આચાર્ય શ્રી વિજયસોમસુન્દરસૂરિ મહારાજ બિરાજમાન હતા. તેઓની પાસે વ્યાખ્યાન સાંભળવા ૮૪ શ્રાવકો પાલખીમાં બેસીને રાજાની જેમ છત્ર ધારણ કરીને નિત્ય આવતા હતા. એ હાલણપુરના રાજા હાલ પરમારે આબુ ઉપરની શ્રી પરમાત્માની પિત્તળની પ્રતિમાની ઘોર આશાતના કરી. તે પ્રતિમાને ગાળી નાખી તેના પાપથી તેને કોઢનો રોગ પેદા થયો. રાજા સ્થાન અને માનથી ભ્રષ્ટ થયો. તેનું રાજ્ય તેના કુટુંબીઓએ લઈ લીધું. પણ ભાગ્યસંયોગે તેને શ્રી શીલધવલ નામના આચાર્ય મહારાજનો ભેટો થયો. તેઓને તેણે પોતાનું દુઃખ કહ્યું તથા તેનો ઉપાય પણ પૂક્યો. ગુરુમહારાજે તેને જિનપ્રતિમાનાં દર્શન-પૂજન કરવા તથા દાનાદિક ધર્મકાર્ય કરવા જણાવ્યું. તેણે સુંદર ભૂમિ જોઈ, પહાલણપુર નામની નગરી વસાવી અને તેમાં હાલવિહાર નામનો ઉત્તમ પ્રાસાદ બનાવ્યો. અને તેમાં સુવર્ણમય પ્રતિમાજી બિરાજમાન કર્યા. તેનાં દર્શનપૂજનથી તેનો કોઢરોગ દૂર થયો. તથા રાજ્ય પણ પાછું મળ્યું. તેણે બીજાં પણ ઘણાં મંદિરો બંધાવ્યાં, પ્રતિમાઓ ભરાવી અને સાત ક્ષેત્રમાં ઘણી લક્ષ્મીનો સદ્વ્યય કર્યો. તે ધાણધાર પરગણાનો રાજા કહેવાયો. તેના રાજ્યમાં કર લેવામાં નહોતો આવતો તથા અન્યાય પણ નહોતો થતો. ત્યાંના નગરજનો ઘણા સુખી હતા. તેઓના ઘરમાં રૂપ, શીલ અને ગુણથી શોભતી નારીઓ – પદ્મિની, હસ્તિની, ચિત્રિણી વગેરે અનેક પ્રકારની હતી. પણ કોઈ જગ્યાએ શંખિની નારી હતી નહીં. એ હાલણપુરમાં શ્રી હીરવિજયસૂરિ મહારાજનો જન્મ થયો. (ઢાળ ૬ - ચોપાઈ - રાગ દેશાખ ભૂપાલ) હાલવિહાર સો નહિ કોય, ફિરતો ગઢ ત્રાંબાનો હોય; રૂપ્યતણાં કોસીસાં બહુ, ફરતી ધ્વજ લહકતી કહું. હાલવિહાર દીઠે કલ્લોલ, સોવનતણાં કોસીસાં સોળ; તોરણ પૂતલી ઘંટનાદ, ઇન્દ્રપુરીજ્યું કરતો વાદ. ૪૨ સોવનકલશ રૂપાની પોળ, બાવન દેહરીની તિહાં ઓળ; ચોરાશી મંડપ છે જ્યાંહિ, નીલરત્નનું તોરણ ત્યાંહિ. ૪૩ હાલવિહાર પાસ તિહાં ઠામ, તિણે હાલણપુર નગર જ નામ; ગઢ મઢ મંદિર ઊંચ આવાસ, વર્ણ અઢાર તણો તિહાં વાસ. ૪૪ ૪૧
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy