________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૪૦
ઐરાવત તે એવું કહીએ, મહાવિદેહખેત્ર તે ત્રીજું લહીએ;
બત્રિસવિજયતિહાભાખી સારો, જિન ચક્રીવિરહનહિ જલગારો. ૩૪ ભરતખેત્રની સુણો જગીસો, જોયણ પંચસય ને છવ્વીસો; છ કળા ઉપર અધિક્ માનો, બત્રિસ હજાર તિહાં દેશ નિધાનો. ૩૫
(ઢાળ ૫ - દેશી ત્રિપદીની) આરજ દેશ સાઢા પંચવીસો, બાકી અનારજ કહે જગદીસો;
નહીં હરિ ચક્રી ઈસો હો. ભવિ૦ 2સઠિ શલાકાપુરુષ ન હોય, જૈનધર્મ તિહાં નવિ જોય;
પુરુષ ગયા ભવ હોય તો, ભ૦ આરજ દેશમાં ધરમ સુસારોજિન ચક્રી હલધર અવતારો; | વાસુદેવ નર સારો હો, ભ૦ આરજ દેશ ઉત્તમ ગુજરાતો, સત્તર સહસ્ત્ર જિહાં ગામ વિખ્યા
ઘર ઘર ઉચ્છવ થાતો હો, ભ૦ સકળ નગરમાંહિ મુખ્ય સોહે, પાલ્ડણપુર દીઠે મન મોહે;
હાલવિહાર જિહાં જોએ હો, ભ૦
હાલવિહાર પ્રાસાદની ફરતો ત્રાંબાનો ગઢ છે. તેમાં રૂપાના કાંગરા તથા સોનાના સોળ કાંગરા છે. એ ઈન્દ્રપુરીની સાથે વાદ કરતો હોય તેવો છે. તેમાં સોનાના કળશ, રૂપાના દરવાજા, તોરણ, પૂતળીઓ છે. વળી એ પ્રાસાદમાં બાવન દેરીઓ તથા ચોર્યાશી મંડપ તેમજ નીલરત્નનું તોરણ પણ શોભી રહ્યું છે. આ હાલવિહારના નામથી જ હાલણપુર એવું નગરનું નામ પાડવામાં આવ્યું છે. તેમાં અઢાર વર્ણના લોકો વસે છે. તથા ઊંચા ઊંચા મહેલો જેવાં મકાનો શોભે છે.
વણિકની ચોર્યાશી જ્ઞાતિઓમાં શ્રીમાળી એ ઉત્તમ જ્ઞાતિ છે તથા પ્રાગવંશ એટલે કે પોરવાડ વંશ છે જેમાં ઘણા રાજાઓ થયા છે.
આબુમાં મંદિર બંધાવનાર વિમળશા, વસ્તુપાલ મંત્રી, જગડુશા વગેરે આ વંશમાં થયા છે.
ઓશ (વાલ) વંશમાં ભીમ જેવા ગુણવંત પુરુષો થયા અને મોઢ વંશમાં શ્રી હેમચન્દ્રાચાર્ય વગેરે મહાન પુરુષો થયા છે. બીજાં પણ એવાં ઘણાં નામો વણિક જ્ઞાતિનાં બનાવ્યાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રો પણ ત્યાં વસતા હતા. તે નગરની અંદર તેઓને જ રહેવા મળતું હતું જેમની પાસે કોટિસંખ્યક ધન હોય. તેમને કોટિધ્વજ પા. ૩૪.૧ મહાવદ ક્ષેત્ર તે ત્રીજું લહીએ. ૩૬.૧ કહે જગદીશો ૩૮.૧ આરજ દેશ મહાધરમ ટિ. ૩૬.૧ આરજ = આર્ય અનારજ = અનાર્ય ૩૭.૧ ત્રેસઠ શલાકા પુરુષ = ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ મળીને ૬૩ શલાકાપુરુષ. ૩૮.૧ હલધર = બળદેવ