________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સમુદ્ર એમ અવાન્તરક્રમમાં અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાં અઢી દ્વીપ (જબૂદ્વીપ, ધાતકી ખંડ અને અડધો પુષ્કરવરદ્વીપ)ને મનુષ્યક્ષેત્ર કહેવામાં આવે છે અને તેનું પ્રમાણ ૪૫ લાખ યોજનનું છે. તેમાં ફરતી વજની ભૂમિ છે જે આઠ યોજન ઊંચી અને ચાર યોજન પહોળી છે. તેમાં આઠઆઠ યોજનની ઊંચાઈના અને ચાર યોજનની પહોળાઈવાળા ચાર દરવાજા છે. એ દરવાજાઓની વચ્ચે સુવર્ણમય મેરુ પર્વત છે. એ જબૂદ્વીપમાં ધનુષ્યના આકારનું ભરતક્ષેત્ર તથા ઐરવતક્ષેત્ર તથા બત્રીશ વિજયવાળું મહાવિદેહક્ષેત્ર છે. જે મહાવિદેહમાં જિનેશ્વર ભગવાન કે ચક્રવર્તીનો કદી વિરહ થતો નથી એ ભરતક્ષેત્રનું પ૨૬ યોજન અને ૬ કળા પ્રમાણ છે. તેમાં બત્રીસ હજાર દેશો
એ ભરતક્ષેત્રમાં ૨પા આર્યદેશ ગણાય છે. તેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ શલાકાપુરુષો ઉત્પન્ન થાય છે અને બાકીના અનાર્ય દેશ છે. તેમાં ધર્મ હોતો નથી તથા ઉત્તમ પુરુષોનો જન્મ પણ થતો નથી.
એ આર્યદેશમાં ગુજરાત નામનો ઉત્તમ દેશ છે, જેમાં ૧૭ હજાર ગાયો છે. તેમાં પાલ્હણપુર નામનું શ્રેષ્ઠ નગર શોભે છે. એમાં હાલવિહાર નામનો સુંદર પ્રાસાદ
છે.
(ઢાળ ૩ - દેશી ત્રિપદીની) કવિતા સુખશાતા પણિ હોય, જંબુદ્વીપ અનોપમ જોય;
લાખ જોયણનો સોય હો, ભવિકા લાખ જોયણનો સોય. ૨૮ જંબુદ્વીપ પુઠે તું જોય, અસંખ્યાત દ્વીપ ફરતાં હોય;
અસંખ્ય સાયર સોય હો, ભવિ૦ માનવખેત્ર તે વિચમાં લહીએ, લાખ પિસ્તાલીસ જોજન કહીએ; વિચે જંબુદ્વીપ સહીએ હો, ભવિ૦
૩૦ વજતણી જગતી તિહાં જોય, જોયણ આઠ ઊંચી તે હોય; આર પોળિ મન મોહ્ય હો, ભવિ૦
(ઢાળ ૪ - ચંદ્રાયણાની દેશી) જે દરવાજા ભાખ્યા પ્યારો, જોયણ આઠ ઊંચા વિસ્તારો;
પોહોળપણે તે યોજણ આરો, વિચે મેરૂ સોવનમય સારો. ૩૨ એહ જ જંબુદ્વીપે કહીએ, તીન ખેત્ર તે શાશ્વત લહીએ;
ભરતખેત્ર તે પહિલો જોય, ધનુષતણે આકારે હોય. ૩૩ પા. ૨૮.૧ કવિતા સુખશાતા પણિ હોય. ર૯.૨ સોહી (“સોયને સ્થાને). ટિ. ૨૮.૨ જોયણ = જોજન ૩૧.૨ પોળિ = દરવાજો
૩૧