________________
શ્રી હીરવિજયસૂરિરાસ
(ઢાળ ૧ - દેશી ચોપાઈ છંદની), હીરવિજયસૂરિનો કહું રાસ, ગણતાં ભણતાં પોહોચે આશ;
સુણતાં હોએ જયજયકાર, હરમુનિ મોટો ગણધાર. ૨૦ જિણે પ્રતિબોધ્યો અકબર મીર, ગળી પિયે તે મોગલ નીર;
અમારી પડહ વજડાવ્યો જિર્ણો દંડ દાણ મૂકાવ્યાં તિણું. ૨૧ જજીઓ ધૂમો પુછી જેહ, ઉબર વરાડ મુકાવ્યો તેહ;
શત્રુંજગિર સો મુગતો કરે, શત્રુંજ ગિરનારે સંચરે. ૨૨
ઓશવાલ વંશમાં થયેલા શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. ઘણાને પદ ઉપર સ્થાપિત કર્યા હતા. એમના નામે શ્રેષ્ઠીઓએ કરોડોનો ધનવ્યય કર્યો હતો. એમણે વિક્ટ વિહાર કર્યો હતો. ષડ્રદર્શનવાદીના મદને ગાળી દીધો હતો, કુમતિકદાગ્રહ દૂર કર્યો હતો. નાસ્તિકોને તાબે ગયેલાં – છિનવાયેલાં તીર્થને જેમણે પાછાં મેળવાવ્યાં હતાં. ઘણાને વ્રત ઉચ્ચરાવ્યાં હતાં, ઘણી દીક્ષા આપી હતી, એમના પ્રભાવથી અકાળે આંબા ફળ્યા હતા. એ આચાર્યશ્રી ક્યાં જન્મ્યા હતા અને માતા, પિતા, ભાઈ, ભગિની વગેરે કોણ હતાં તેનું વર્ણન ખરેખર સાંભળવા જેવું છે.
(ઢાળ ૨ - શ્રી શેત્રુંજ સારો - રાગ દેશાખ) કરે પ્રતિષ્ઠા પદ બહુ થાપે, હીરનામું ધન કોટી આપે;
વિકટ વિહાર જિણે પણ કીધો, અસુર તણે ઉપદેશ જ દીધો. ૨૩ ઓશ વંશે હુઓ જ પ્રસિદ્ધ, શાસનોન્નતિ જેણે કીધ;
કુમતિ કદાગ્રહ જેણે ટાળ્યા, ષટ્રદર્શનવાદી મદ ગાળ્યા. ૨૪ ગયા તીર્થ વાળ્યા છે જિર્ણો, વ્રત ઉચરાવ્યાં બહુને તિણે;
ક્રોધ સમાવિ દીખ બહુ દીધ, ફળ્યા અકાળે અંબ પ્રસિદ્ધ. ૨૫ એડવો હરમુનીશ્વર રાય, સાધુ સકળ જસ પ્રણમે પાય;
કવણ કીપ ક્ષેત્ર કુણ દેશ, ગામ નામ તસ વાસ કહેશ. ૨૬ કહિસ્યું માત-તાતનું નામ, ભગિની ભ્રાત તણા ગુણગ્રામ;
હીરચરિત્ર સુણતાં ઉલ્હાસ, રૂષભ કહે કવિતા સુખવાસ. ૨૭
આ આચાર્યશ્રી જે નગરમાં જન્મ્યા તે ક્યાં આવ્યું તેનું વર્ણન ત્રીજી, ચોથી અને પાંચમી ઢાળમાં કરવામાં આવ્યું છે.
જંબુદ્વીપ નામનો લાખ યોજનાનો દ્વીપ છે. એના કરતાં એક દ્વીપ અને એક પા. ૨૨.૧ જીજીઓ ૨૪.૧ શાસન ઉદ્યોત ૨૪.૨ ગયા તીરથ વલી વાળ્યા જેણે ૨૫.૨ ફળ્યાં
અંબ તે સહી અ પ્રસિદ્ધ ૨૬.૨ વંશ (“વાસને સ્થાને) ટિ. ૨૦.૨ ગણધાર = મુનિગણને ધારણ કરનાર ૨૧.૨ અમારી પડહ = જીવને અભયદાન
માટેનો ઢંઢેરો ૨૨.૧ જજીઓ = જજિયાવેરો