________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હેમરિવદને વસિ, હવા વચનની સિદ્ધિ;
ગ્રંથ ત્રિકોટિ તિણે કીઓ, ઈસી ન કેહની બુદ્ધિ. ૯ હીર હર્ષ તુજને નમે, શારદનામ જ સોળ;
નૈષધ ગ્રંથ તિર્ણ કર્યો, બોલ્યો, વચન-કલ્લોલ. પંડિત માઘ મહિમા ઇસો, જશ કરતિ કાલિદાસ;
તું તૂઠી ત્રિપુરા મુખે, પોહોતી તેહની આશ. શોભનબંધુ ધનપાળને, ઉપજાવ્યો આનંદ;
ધારાપતિ તિણે બૂઝવ્યો, વાંકો ભોજનરિંદ. એહવી સુંદર શારદા, સમર્પે સિધાં કામ;
પઢમ જિનેશ્વર સુખકરુ, સમરું તેહનું નામ. પ્રથમ રાયરિષિ કેવળી, પ્રથમ ભિક્ષાચર જાન;
યુગલાધર્મ નિવારીઓ, પ્રથમેં દીધો દાન. દેશ નગર પુરવાસિયાં, પરણ્યા પ્રથમ નિણંદ;
કળા કરમ સહુ શીખવ્યું, સકળ લોક-આણંદ. મુગતિ દીધી તેં માયને, ઉદ્ધરીઓ શ્રેયાંસ;
પુત્ર હુઆ સો કેવળી, ધન ધન તાહરો વંશ. દશ હજાર મુનિસું વળી, મુગતિ ગયા ભગવંત;
અનેક જનને ઉદ્ધર્યા, 22ષભદેવ ગુણવંત. સમરું તે ભગવંતને, ગણધર કરું પ્રણામ;
કેવલજ્ઞાની મુનિ નમું, સમર્થે સીઝે કામ. શીલવંત તપીઆ મુનિ, હું પણ તેહનો દાસ;
સકળ સિદ્ધ સમરી કરી, રગું હીરનો રાસ. ૧૯ શ્રી હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો હતો અને એમના ઉપદેશથી આ મુસ્લિમ બાદશાહ પણ પાણી ગળીને પીતો હતો. આખાયે દેશમાં એણે છ મહિના સુધી અમારિ પડહો વગડાવ્યો હતો, લોકોને દંડ અને દાણથી મુક્ત કર્યા હતા, શત્રુંજય મહાતીર્થના યાત્રિકો પાસેથી લેવાતો જજિયાવેરો પણ બંધ કરાવ્યો હતો અને પોતે પણ શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાએ ગયો હતો.
પા. ૯.૧ સુધિ ૯.૨ અસી ન કોહોની બુદ્ધિ ૧૧.૨ ગ્રંપરા ૧૪.૧ પ્રથમ ગોચરી જ્ઞાન ટિ. ૯.૨ ઈસી = એવી ૧૨.૨ ધારાપતિ = ધારાનગરીનો રાજા ૧૮.૨ સીઝે = સિદ્ધ થાય.
૧૯.૧ તપીઆ = તપસ્વી.