________________
મંગલાચરણ : જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજશ્રીના જીવનચરિત્રના વિસ્તારથી વર્ણન સ્વરૂપ રાસની રચના કરતાં કવિ શ્રી ઋષભદાસજી પ્રારંભમાં મંગલાચરણ કરે છે. તેમાં ૧૯ દુહામાં આરંભમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનાં ૧૬ પર્યાયવાચક નામોનો ઉલ્લેખ કરવાપૂર્વક કવિ તેના સાંનિધ્ય માટેની પ્રાર્થના કરે છે.
કવિ કહે છે કે હે દેવી, તું જેના મુખમાં આવીને વાસ કરે છે તે માણસ પંડિત બની જાય છે. પછી કવિએ એ દેવી સરસ્વતીની કૃપાથી જેઓએ મહાન શાસ્ત્રો રચ્યાં છે તે જૈનાચાર્યો તથા કવિઓનાં નામોનો ઉલ્લેખ કર્યો છે.
ત્યાર પછી પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ પ્રભુને તેમના ગુણવર્ણનપૂર્વક પ્રણામ કરી તથા ગણધર ભગવન્ત, કેવળજ્ઞાની મુનિઓ, શીલવંત અને તપસ્વી મુનિઓ તેમજ છેલ્લે સકલસિદ્ધ ભગવંતોનું સ્મરણ કરીને પોતે શ્રી હીરવિજયસૂરિ મહારાજના રાસની રચના કરી રહ્યાનો નિર્દેશ કર્યો છે.
(દોહરા છંદ) સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય; - હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તાહરા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત;
દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. હંસવાહિની હરખતી, આપે વચનવિલાસ;
વાગેશ્વરી વદને રમે, પોહોચે મનની આશ. કાશમીર મુખમંડણી, કમળ કમંડળ પાણિ;
મુજમુખ આવી તું રમે, ગુણ સઘળાની ખાણિ. આગમ વેદ પુરાણમાં, વાણી તુજ બંધાણ;
તું મુખ આવી જેહને, તે પંડિત તે જાણ. પુંડરીક પ્રમુખા વળી, ગણધર જે ગુણવંત; . તિણઈ ધુર સમરી સરસતી, સમજ્યા ભેદ અનંત. સ્વામિ સુધર્મા વિરનો, રચતો અંગ સુ બાર;
શારદ ભાષા ભારતી, તે તારો આધાર. સિદ્ધસેન દિવાકર, સમરિ તારું નામ;
વિક્રમ નૃપ પ્રતિબોધિયો, જિર્ણ કીધાં બહુ કામ. ૮ પા. ૩.૧ હંસગામિની ૩.૨ વાઘેશ્વરી ટિ. ૨.૧ બ્રહ્મવાદિની = બ્રહ્મતત્ત્વનો ખુલાસો કરનારી ૩.૨ વાગેશ્વરી = વાક્ + ઈશ્વરી, વાણીની
દેવી ૫.૨ જાણ = જ્ઞાતા ૬.૨ ધુર = પ્રથમ