________________
૩૧૦
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
નામકર્મની સ્થિતિ કહે ઇસ, સાગરોપમ કોડા કોડિ વિસ;
વિસ કોડા કોડિ સાગર કહું, ગોત્રકર્મ તણી થિતિ લહું. ૨૦૧૩ વિસ કોડા કોડિ સાગર જોય, અંતરાયકર્મની સ્થિતિ હોય;
પછિ અંતરાય ક્ષય પણ થાય, કદાચ વળી નવાં બંધાય. ૨૭૧૪ એહવાં આઠ કર્મ જે શિરે, ટાલેવા તપ શ્રીગુરુ કરે;
પરિસહ બાવીસ પ્રેમેં ખમે, રાત દિવસ જિનવચને રમે. ' ૨૭૧૫ વિગય પાંચનો કરે પરિહાર, વિગય એક વૃત કદિ આહાર;
નીલોતરી મિઠાઈ જેહ, ગુરુ વઈરાગી ત્યાગ કરેહ. ૨૭૧૬ વેયાવચ વાજીત્ર ધોંકાર, નારી સંગ તસ નહિ લગાર;
ખારું મીઠું ઉહનાં જળ પીયે, પાણી પાત્ર તે નવિ નાથીયે. ૨૦૧૭ આહારશુદ્ધિ માંડી અતિ ઘણી, નવિ જાયે મોટાં ઘર ભણી;
નામેં સુઝતું જાણે જેહ, સખરું તુચ્છ ધાન લીયે તેહ. ૨૭૧૮ બલ પ્રાક્રમ જોઈ નિજ આહાર, સુપન શગતિ કર્યો વિચાર;
આરાધના કરતો શુભ પરિ, અતિચાર આલોયે ધરિ. ૨૭૧૯ નિરમલ વ્રત કરિ ખામણાં, પાપ આલોયે સહી આપણાં;
સરણ આાર દુષ્કત નિદેહ, કર્યું પુણ્ય અનુમોદ તેહ. ૨૭૨૦ ભાવના અણસણ ને નવકાર, આરાધે ગુરુ દશે પ્રકાર;
ઉપધિ આહાર શરીર પરિહરે, આણંદવિમલ તે અણસણ કરે. ૨૭૨૧ સંવત પર છન્નુઓ જસિ, ચૈત્રી સુદિ દિન સાતમેં તસિં;
નવ દિહાડાનું અણસણ કરે, અમદાવાદમાં સરર્ગે સંચરે. ૨૭૨૨ વિજયદાનસૂરિ(૫૭) તેહને પાટે, મુગતિ તણી દેખાડે વાટ;
સત્તાવનમેં પાર્ટી જોય, જસ ગુણ પાર ન પામે કોય. ૨૭૨૩ સાહ ભાવ જગે છે જેહનો તાત, શીલવતી ભસ્માદે માત;
ઓસ વંસ દીપક દિનપતિ, નાનપણે નર હુઓ પતિ. ૨૭૨૪ વિજયદાનસૂરિ વિખ્યાત, સંવત પન્નર ત્રિહિપ જાત;
જામલાનગરહાં રહેતાય, પન્નર બાસઠિ લીયે દીખાય. ૨૭૨૫ દાનહરખનો ચેલો એહ, ભાગ્યદાર જાણી માગે;
દાનહર્ષગણિ આપે તામ, કાંઈક રાખજો મારું નામ. ૨૭૨૬ વિજયદાન પછે પાડીયું નામ, દાનહર્ષ ગણિ હરખ્યો તામ;
માહરો ચેલો ગછપતિ થાય, તેણે કારણે મુજ બહુ શોભાય. ૨૭૨૭ પા. ૨૭૧૪.૧ ત્રીસ. ર૭૧૬.૧ કબી એક ટિ. ર૭૧૫.૨ પરિસહ = સહન કરવું, વેઠી લેવું. જૈન ધર્મમાં કુલ ૨૨ પરીષહો કહ્યા છે.
૨૭૧૭.૨ નાથીયે = ઠારે ૨૭૧૯.૧ સુપનશગતિ = સ્વપ્નના સંકેતથી.