________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૭૯
ગુણોની ખાણ સમા હીરગર, હવે ડૂબતાને કોણ બહાર કાઢશે ? મહાવીર પ્રભુના નિર્વાણ સમયે જેમ ગૌતમના મુખમાં માત્ર “વી” “વી' એટલો જ ઉચ્ચાર રહી ગયો, તેમ હીર જતાં સૌના મુખે હી હી ઉચ્ચાર રહી ગયો.
(ઢાલ ૯૩ – કમલાવતીની. રાગ ગોડી) ઉત્તમ નર ગુર હીરજી, ધર્યા ચિતામાં જામ રે;
અગ્નિ ધરે નહિ કો વળી, મુખ જોયે ફરી ફરી તામ રે. ભાખે રે નર સહુ મલી, ગુરુ ! દીજે હો દેસના અતિ સાર;
હીર ! ભાખો હો ધર્મવિચાર, ઈમ ભાખે રે નર સહુ મળી. ૨૪૬૧ મસ્તગિ હાથ ઘો શિષ્ય તણે, દ્યો તુમ નર દીખ્યાય રે;
તુમ રાગી નર બહુ મળ્યા, નવિ બોલો તો કાં રૂષિરાય રે ! ઇમ૦ ૨૪૬૨ પ્રભુ ! તુહ્મ ગોખિ પધારીયે, ભાંજો મન સંદેહ રે;
દીઓ. હીર ! શિષ્યને વાચના, નવિ દીજેનિવડઇમ છેતરે !ઈમ૦ ૨૪૬૩ રુદન કરતાં સ્તુતિ કરે, કુણની કરસું સેવ રે;
સદાય જગતગુરુ હીરજી, આજ દીસે ફરી તુમ ટેવ રે. ઈમ૦૨૪૬૪ તુમ જાતાં કાંઈ નવિ ઊગરે, કિયાં સુણવી મીઠી વાણિ રે;
કુણ બુડતાં કાઢયે, બોલો હીરજી ! બહુ ગુણખાણિ રે. ૨૪૬૫ વીર જતાં “વી વી” રહી, ગૌતમને મુખ જોય રે; હીર જતાં “હી હી રહી, જંપે યાચક તિહાં સહુ કોય રે. ઇમ) ૨૪૬૬
એકત્ર થયેલાં સૌ માનવીઓને દુઃખ તો ઘણું છે, પણ મન કઠણ કરીને હીરની ચિતાને અગ્નિ લગાડે છે.
શ્રી હરિગુરુની ચિતામાં પંદર મણ સુખડ, પાંચ મણ સુગંધી અગર, ત્રણ ત્રણ શેર કપૂર, કસ્તૂરી ને કેસર મૂકવામાં આવ્યું. જ્યાં સુધી દેહ દેખાતો રહ્યો ત્યાં સુધી શ્રાવકો નાણાથી પૂજતા રહ્યા. સુગંધી અગરનો પાંચ શેર ચૂવો ચિતામાં નાખ્યો. તીર્થંકર ભગવાનના શરીરની જેમ હીરગુરુના દેહને લોકો સંસ્કારતા રહ્યા. સુવર્ણ સરીખું કુમકુમવણું શરીર ભસ્મીભૂત થયું. લોકો વિચારવા લાગ્યા, ચંદ્ર અને કમળ જેવું મુખ ક્યાં ગયું ? હીરસૂરિનો દેહ ગયો પણ નામ અમર થઈ ગયું.
| દુહા) મલી માનવ દુઃખ ધરે, કરતા કઠણ પરિણામ;
ચિતા લગાડી હીરની, મુંકી અગની તા. ૨૪૬૭
પા. ૨૪૬૩.૨ નબડક (નિવડ ઈમને સ્થાને)