________________
૨૭૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સાંગલેસર વાસી એક બ્રાહ્મણ, દેખે એક પ્રગટ વિમાનો;
વાત કરે સુર શ્રીગુરુ કેરી, તિહાં તે ધરતો કાનો. જગ૦ ૨૪૪૯ સુરવર સહુએ ઓછવ કરતા, જબ નિરવાણ જ હીરો;
દીવ તણો સંઘ આવી ધાયે, નયણે વહેતાં નીરો. જગ૦ ૨૪૫૦ જતુસરણ ગયું જગમાંહિ, જગત તણો તું દીવો !
જૈન તણે સિરિ છત્ર ભલેરું, તિ તાર્યા બહુ જીવો. જગ૦ ૨૪૫૧ એમ દુઃખ ધરતાં કરે માંડવી, તેર ખંડની ત્યાંહિ;
ધર્યા કથીપા મખબલ માંહિ, બાંધ્યા મશરૂ જ્યાંહિ. જગ૦ ૨૪૫ર મોતી જુમખાં રૂપક ઘંટા, ઘુઘરિઓ કંચન કરી;
ચામર છત્ર તોરણ તિહાં ઝલકે, ગુડી ફરત ભલેરી. જગ૦ ૨૪૫૩ દોય હજાર ત્યાહારિ તિહાં બેઠી, કરી માંડવી જ્યારે
અઢી હજાર ત્યાહારિ હોઈ બીજી, સુરગત હરજી ત્યારે. જ૦ ૨૪૫૪ કેશર ચંદન ચૂઆ ધરીનિ, હરનિ અંગે લગાવે;
માંડવીમાંહિ પોઢાડ્યો મુનિવર, ઘંટાનાદ તબ થાય. જગ૦ ૨૪૫૫ વાજિંત્ર સુરનાં સહુ સાંભળતા, ગાજે મેઘ કે વરસે;
ઊગ્યો સૂર ધસી ત્યાંહાં આવ્યો, ગુરુમુખ જોવા તરસે. જગ૦ ૨૪૫૬ વલગા પુરુષ માંડવીયે મોટા, કોલાહલ અતિ થાય;
Aષભદેવ નિર્વાણ તણી પરિ, સુર નરનારી ધાયે. જગ૦ ૨૪૫૭ વાજિંત્ર પંચશબ્દ બહુ વાગે, ઉછાળે નર લ્યાહારી;
પુષ્પવૃષ્ટિ હુઈ તે પંથિ, પ્રણમિ સુર નરનારી. જગ૭ ૨૫૮ રૂપ ઘંટા ધરતા નર હાર્થિ, ઉછાલતા જ અબીરો;
હીર હીર ! જપે સહુ મુખથી, નયણે ચાલ્યાં નીરો. જગ૭૨૪૫૯ વાજતે વનમાંહિ આવે, જિહાં આંબાવન હોય; ચિતા સોય કરે ચંદનની, ભોમિ ભલેરી જોય. જગ૦ ૨૪૬૦
નરોત્તમ એવા હીરગુરુને ચિતામાં તો પધરાવ્યા પણ કોઈ તેમને અગ્નિદાહ દેતું નથી, અને ફરીફરી તેમનું મુખ નિહાળે છે. સૌ કહે છે, “હે ગુરુ, આપ દેશના આપો. ધર્મનો વિચાર સમજાવો. શિષ્યોને મસ્તકે હાથ મૂકો, અને માણસોને તમે દીક્ષા આપો. તમારા પ્રત્યે ભક્તિભાવવાળા ઘણા માણસો અહીં એકત્ર થયા છે, છતાં તમે કેમ કાંઈ બોલતા નથી ? હે પ્રભુ, તમે ગોખે પધારીને અમારા મનના સંદેહને દૂર કરો. હે હીરગર, શિષ્યોને વાચના આપો. આમ છેહ આપો તે બરાબર નથી.” સૌ રુદન કરતાં કરતાં સ્તુતિ કરે છે કે “હવે તમારા વિના અમે કોની સેવા કરીશું ? તમારા જતાં જાણે હવે કાંઈ ઊગરતું – બચતું નથી. હવે તમારી મીઠી વાણી ક્યાં સાંભળવી ? હે
ટિ. ૨૪૫૪.૧ માંડવી = પાલખી