SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રાવક કવિ ર૦ષભદાસકૃત ધન પોતાનું ખરચી કરી, જૈનરૂપણી દીક્ષા વરી; બહુ વૈરાગી સંયમ ધાર, શ્રી શ્રીમાલી વંશ શિણગાર. ૨૨૪૦ છતી ઋદ્ધિ તેણે ઠંડી સહી, હીર હાથે તેણે દીક્ષા ગ્રહી; આગે હતી એ બાંધણી, દીક્ષા લેતા ધનના ધણી. ૨૨૪૧ એક સત મહિમુંદી ખરચેહ, પાછલિ કો વઢવા નાવે; વરસ માંહિ સૂત્રાદિક ભણે, આહારાદિક ન ગમે અવગણે. ૨૨૪૨ અવગુણ વિન નર સાત બકોર, સંવેગી સમકિત સમદોર; દયા બુદ્ધિ સુશીલ સુજાણ, લીયે દીક્ષા તે કરી મંડાણ. ૨૨૪૩ અનેક ઓછવ બીજા થાય, ઉપધાન માલ વતનિ પૂજાય; નવાનગરનો પુરુષ સુધીર, આવ્યો. જામ તણો જ વજીર. ૨૨૪ અબજી ભણસાલી તસ નામ આવી હરનિ પૂજે તામ; સોનઇઆ નવ અંગિ ધરે, બીજા સાધની પૂજા કરે. ૨૨૪૫ લાખ ટંકા લુંછણ કરેહ, કેકાંણ યાચકનિ તિહાં દેહ; એમ અનેક ઓછવ થાય, ઉના માંહિ રહ્યા રૂષિરાય. ૨૨૪૬ ચોમાસું જવ પૂરું થાય, ચાલવા માંડ્યા ઋષિરાય; પણિ હુસીઆર નહિ રૂષિદેહ, તેણે બોલ્યા નર શ્રાવક જેહ. ૨૨૪૭ ઉહુંણ ચોમાસું ઈહાં કણિ રહી, થાય સમાધિ ચાલેવું સહી; રોગ સહિત કિમ ફરમ્યો હીર ? રહો ઇહાં ગુરુ સાહસ ધીર. ૨૨૪૮ સકલ સાધ સમખ્ય ભાખે ત્યાંહિ, હીર રહ્યા તવ ઉના માંહિ; પગે સોજો હુઓ રૂષિરાય, ઓષધ ન કરિ તેણે થાય. ૨૨૪૯ મલે સંઘ દીવ ઉના તણો, વિનો હીરનો કીધો ઘણો; ઓષધ કીજે મુનિવર રાય, જેણે વ્યાધિ રોગ તુલ્બારો જાય. ૨૨૫૦ હીર કહે સુણીયે નર પરમ ! ભોગવ્યા વિના ન છૂટે કરમ ! સનતકુમાર નહિ ઓષધ યોગ, કરમ ખપ્યા તવ નાઠો રોગ. ૨૨૫૧ શ્રાવક કહે સુણો ગુરુ હીર, ઓષધ કરતા શ્રી મહાવીર; કોહલાપાક લીધો સૂજતો, અતીસાર તવ જીરણ હતો. ૨૨પર કેસવ વૈદ કીડા કાઢતો, ત્યારે મુનિવર નવિ બોલતો; શ્રાવકનો છે એ આચાર, મુનીશ્વરની તે કરતા સાર. ૨૨૫૩ દીઓ આગન્યા અહ્મનિ હીર, ન દીયે આશા પુરુષ ગંભીર; મનિ ચિંતવે એ મલીઆ સહુ, મુજને દોષ લગાડે બહુ. ૨૨૫૪ પા. ૨૨૪૮.૨ નર (ગુરુને બદલે). ટિ. ૨૨૪૭.૨ હુસીઆર = સ્વસ્થ ૨૨૪૮.૧ Gહુંણ = આ (વર્ષ). ૨૨૫૦.૧ વિનો = વિનય, વિનંતી ૨૨પ૨.૨ અતિસાર = ઝાડાનો રોગ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy